એપશહેર

RBI ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટિવ, આઈસોલેશનમાં રહીને કરશે કામ

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તેઓ આઈસોલેશનમાં કામ કરશે અને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્રિય બેંકના કામ પર અસર નહીં પડે.

I am Gujarat 25 Oct 2020, 8:20 pm
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે રવિવારે જણાવ્યું કે તેઓ કોરોના વાયરસ સંક્રમિત થયા છે. શક્તિકાંત દાસ હાલ એસિમ્પટોમેટિક (હળવા લક્ષણ ધરાવનાર) છે અને હાલ તેમની તબિયત સારી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે મારો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું એસિમ્પટોમેટિક છું અને તબિયત સારી છે. પરંતુ, આજકાલ મારા સંપર્કમાં આવેલા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
I am Gujarat w1


RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તેઓ આઈસોલેશનમાં કામ કરશે અને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્રિય બેંકના કામ પર અસર નહીં પડે. તેમણે કહ્યું કે હું આઈસોલેશનમાં પણ કામ ચાલુ રાખીશ. RBIમાં સામાન્યરીતે કામ ચાલુ રહેશે. હું ટેલિફોન અને વીસી દ્વારા અધિકારીઓના સંપર્કમાં છું.

તેમણે હાલમાં જ કહ્યું હતું કે જો કોરોના વાયરસની બીજી લહેર આવશે તો પછી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી મુશ્કેલ થઈ જશે. તેમણે બેઠકમાં કોરોના વાયરસને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે કોરોના વાયરસે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું છે. હવે અર્થવ્યવસ્થા તેમાંથી રિકવર થઈ રહી છે. પણ, જો કોરોના વાયરસની બીજી લહેર આવશે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો