એપશહેર

મોટો ખુલાસોઃ ₹2000ની નોટનું પ્રિન્ટિંગ બંધ, આ વર્ષે RBIએ એક પણ નોટ નથી છાપી

Hitesh Mori | I am Gujarat 16 Oct 2019, 4:52 pm
2000 રૂપિયાની નોટને લઈ ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે કે નોટ બંધ કરવામાં આવી શકે છે. જોકે, આ ચર્ચા કાલ્પનિક છે. આ વચ્ચે 2000 નોટ અંગે નવો ખુલાસો થયો છે. ભારતીય રિઝર્વ બેંક 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું છે. હાલમાં જ રિઝર્વ બેંકે આ સમાચારોનું ખંડન કર્યું હતું. પરંતુ હવે એક આરટીઆઈના જવાબમાં આરબીઆઈ દ્વારા જ આ ખુલાસો કરવામાં આવ્યો છે કે 2 હજારની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો આ વર્ષે એક પણ 2000 રૂપિયાની નોટ છાપવામાં આવી નથી. બ્લેકમની પર કંટ્રોલ કરવા માટે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. ત્યાર બાદ મોટી કરન્સીના રૂપમાં 2000 રૂપિયાની નોટ માર્કેટમાં ઉતારવામાં આવી હતી. આરબીઆઈએ એક આરટીઆઈનો જવાબ આપતા કહ્યું કે 2016-17માં 2000 રૂપિયાની 3542.991 મિલિયન નોટ પ્રિન્ટ કરી હતી. તેના પછીના 2017-18માં 111.507 મિલિયન નોટ, 2018-19માં 46.690 મિલિયન નોટ પ્રિન્ટ કરી અને 2019-20માં એક પણ નોટનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું નથી. 2000 રૂપિયાની નોટો ઓછી પ્રિન્ટ કરવા પાછળનું કારણ આરબીઆઈ અને સરકાર બંને બ્લેક મની પર નિયંત્રણ રાખવા માટે મોટી નોટ્સને ધીરે ધીરે સિસ્ટમમાંથી બહાર કરી નાની નોટો માર્કેટમાં વધારવા ઈચ્છે છે. તેના બે ફાયદા છે. પહેલો મોટી નોટ માર્કેટમાં ઓછી હોવાની બ્લેકમની પર કંટ્રોલ થશે. આ સાથે મોટી નોટના લોકોને સરળતાથી છુટ્ટા મળી જશે. નકલી નોટથી સરકારને મુશ્કેલી હાલમાં જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ દાવો કર્યો હતો કે ભારતમા ઓરિજનલ નોટ જેવી જ 2000 રૂપિયાની નકલી નોટ્સ માર્કેટમાં આવી ગઈ છે. નકલી નોટ્સનો મુખ્ય સ્ત્રોત પાકિસ્તાન છે. સરકારે જૂનમાં કહ્યું હતું કે છેલ્લા 3 વર્ષોમાં 50 કરોડથી વધારે મૂલ્યની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. આરબીઆઈના અધિકારીઓનું માનવું છે કે મોટી નોટોના ઉપયોગ તસ્કરી અને અન્ય ગેરકાયદે ચાલતા ધંધાઓમાં કરવામાં આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો