એપશહેર

'દિગ્વિજય સિંહને કંઈ ખબર નથી', રિટાયર્ડ એરફોર્સના ઓફિસરે કહી બાલાકોટ એર સ્ટ્રાઈકની વાત

Digvijay Singh Balakot Air Strike Remark: કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે બાલાકોટ એર સ્ટ્રાઈક પર ફરીથી સવાલો ઉઠાવ્યા છે. જે બાદ મોટો વિવાદ સર્જાયો છે અને એ નક્કી જ હતું. ત્યારે રિટાાયર્ડ એર માર્શલ રઘુનાથ નાંબિયારે દિગ્વિજય સિંહે અરીસો બતાવ્યો છે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસના નેતા આ મામલે કંઈ જાણતા નથી અને દેશવાસીઓ તેમના જૂઠનો શિકાર ન બનો.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 24 Jan 2023, 11:52 am

હાઈલાઈટ્સ:

  • બાલાકોટ એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને ફરીથી ફસાયા દિગ્વિજય સિંહ
  • એર ફોર્સના રિટાયર્ડ ઓફિસરે કહ્યું-કોંગ્રેસના નેતા કંઈ જાણતા નથી
  • રિટાયર્ડ એર માર્શલ રઘુનાથ નાંબિયારે દેશવાસીઓને કર્યા સતર્ક
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat balakot air strike
રિટાયર્ડ એર માર્શલ રઘુનાથ નાંબિયારે એર સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહને આપ્યો જવાબ.
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ ખોટા છે કે પછી તેઓ સત્ય જાણતા નથઈ. રિટાયર્ડ એર માર્શલ રઘુનાથ નાંબિયારે એર સ્ટ્રાઈક પર ઉઠાવવામાં આવેલા સવાલો અંગે કહ્યું કે, તેઓ બાલાકોટ સ્ટ્રાઈક એક એક વાતથી વાકેફ છે. વેસ્ટર્ન એર કમાન્ડોના પ્રમુખ રહી ચૂકેલા એર માર્શલ નાંબિયારે દેશવાસીઓને સતર્ક કરતા કહ્યું કે પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈકને લઈને સતત ખોટુ ફેલવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓએ કહ્યું કે, એર સ્ટ્રાઈકની આખી કહાણી તેઓ સારી રીતે જાણે છે. એટલા માટે દેશને ખાતરીપૂર્વક કહી રહ્યો છું કે, ભારતીય સેનાના વીર જવાનોએ જે કરી બતાવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે.
BBC Documentary On PM Modi :PM મોદી અને ગુજરાત કોમી રમખાણો સાથે સંકળાયેલી BBC ડોક્યુમેન્ટ્રી મુદ્દે આવું બોલ્યું અમેરિકા
આ વાતનો વિશ્વાસ ન કરો

વેસ્ટર્ન એર કમાન્ડના પૂર્વ ચીફ અને રિટાયર્ડ એર માર્શલ રઘુનાથ નાંબિયારે કહ્યું કે, આ મહાશયને કંઈ ખબર નથઈ કે તેઓ શું બોલી રહ્યાં છે. તેઓ ખોટી માહિતી આપી રહ્યા છે અને તેઓ હકીકતથી અજાણ છે. મેં બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન બે દિવસ બાદ વેસ્ટર્ન કમાન્ડના ચીફ તરીકેની જવાબદારી સ્વીકારી હતી અને હું એ સારી રીતે જાણું છું કે શું થયુ હતું. હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું કે અમારા બહાદુર પાયલટોએ જ કર્યુ કે જે તેમને કહેવામાં આવ્યું હતું. અમે તેમને જે પણ કહ્યું એ પ્રમાણે તેઓએ કામ કર્યુ હતું. મહેરબાની કરીને જૂઠ પર વિશ્વાસ ન કરો અને સંપૂર્ણ રીતે નિશ્ચિંત રહો કે બાલાકોટ એરસ્ટ્રાઈક એક ઐતિહાસિક સફળતા હતી.
'જોશીમઠની ધસી રહેલી જમીનને રોકીને બતાવો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો બાગેશ્વર બાબાને પડકાર
આ મામલે થયો વિવાદ
ખરેખરમાં જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજય સિંહે બાલાકોટ એર સ્ટ્રાઈકના પુરાવા માગ્યા હતા. દિગ્વિજય સિંહે કહ્યું કે, એર સ્ટ્રાઈકને લઈને વિવિધ પ્રકારના દાવા કરવામાં આવે છે. પરંતુ પુરાવા આપવામાં આવી રહ્યા નથી. સરકાર કહી રહી છે કે, આ એર સ્ટ્રાઈકમાં અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પુરાવા રજૂ કરતી નથી. આ નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટી પણ નારાજ થઈ છે. ભારત જોડા યાત્રાની વ્યવસ્થા કરી રહેલા જયરામ રમેશ વારંવાર દિગ્વિજય સિંહેન મીડિયાના સવાલોથી બચાવી રહ્યાં છે. તેઓની પાર્ટીએ કહ્યું કે, એર સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહનું નિવેદન તેમનો વ્યક્તિગત વિચાર છે. પાર્ટીને એની સાથે કોઈ લેવા દેવા નથી.
Latest National News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story