એપશહેર

સચિન પાયલોટે લખ્યો CM ગેહલોતને પત્ર, યાદ કરાવ્યો ઘોષણપત્રનો વાયદો

સચિન પાયલોટે કહ્યું કે, વર્ષ 2018 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના ઘોષણાપત્રમાં કોંગ્રેસ પાર્ટીએ એમબીસી સમાજને 5 ટકા અનામત આપવાની વાત કરી હતી, પરંતુ આવું થઈ રહ્યું નથી.

Navbharat Times 12 Sep 2020, 9:13 pm
જયપુર: રાજસ્થાન (Rajasthan)ના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ (Sachin Pilot)એ મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot)ને રાજ્ય સરકારની નોકરીઓમાં પછાત વર્ગ (MBC)ને પાંચ ટકા અનામત આપવા પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, ચૂંટણીની જાહેરાત છતાં આ અનામત હજુ સુધી લાગુ કરવામાં આવ્યું નથી.
I am Gujarat 7
ફાઈલ તસવીર


પાયલોટે તેમના પત્રમાં લખ્યું છે કે, "મારા ધ્યાને વાત આવી છે કે રાજ્ય સરકાર દ્વારા ભરતીમાં એમબીસી સમાજને પાંચ ટકા અનામત આપવામાં આવ્યું નથી.' પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો આ પત્ર શનિવારે મીડિયામાં પ્રકાશિત થયો હતો. તેમણે લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2018 અને રીટ ભરતી 2018માં પણ પાંચ ટકા અનામત આપવામાં આવ્યું નથી.

દેવનારાયણ બોર્ડ-દેવનારાયણ યોજના અંતર્ગત અટકેલા વિકાસ કામોનો પણ પત્રમાં ઉલ્લેખ
પાયલોટે કહ્યું છે કે રાજ્યના વિવિધ પ્રદેશોના પ્રતિનિધિ મંડળોએ તેઓને મળીને અહેવાલો દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો છે. આ ઉપરાંત પાયલોટે દેવનારાયણ બોર્ડ અને દેવનારાયણ યોજના અંતર્ગત અટકેલા વિકાસ કામોનો પણ ઉલ્લેખ કર્યો છે. લોકો બજેટની ફાળવણી સાથે આ બંને યોજનાઓ લાગુ કરવા માંગ કરી રહ્યા છે.

સચિન પાયલોટે પોતાના પત્રમાં આ ભરતીઓનો પણ ઉલ્લેખ કર્યો

પત્રમાં માહિતી આપતા સચિન પાયલોટે જણાવ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2018, રીટ ભરતી - 2018, પંચાયતી રાજ એલડીસી ભરતી 2013, ટેક્નિકલ હેલ્પર ભરતી 2018, નર્સિંગ ભરતી 2013 અને 2018, જેલ સેંટિનેલ ભરતી 2018, આશા સુપરવાઈઝર ભરતી 2016, કોમર્શિયલ આસિસ્ટન્ટ ભરતી 2018, દ્વિતીય ગ્રેડ શિક્ષક ભરતી 2018 અને અન્ય ભરતીમાં 5 ટકા અનામત આપવામાં આવ્યું નથી. તેઓને વિવિધ અહેવાલો દ્વારા આ માહિતી મળી છે.

Read Next Story