એપશહેર

સહારાએ સુબ્રતો રોય માટે અનિશ્ચિત મુદતના જામીન માગ્યા

I am Gujarat 10 Jul 2016, 2:03 am
એજન્સી નવી દિલ્હી
I am Gujarat india/sahara
સહારાએ સુબ્રતો રોય માટે અનિશ્ચિત મુદતના જામીન માગ્યા


સહારા જૂથે સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ ~ ૨૦૦ કરોડ જમા કરાવી દીધા છે અને તેણે જૂથના વડા સુબ્રતો રોય અને ડિરેક્ટર અશોક રોય ચૌધરીના જામીન અનિશ્ચિત મુદત માટે વધારવાની વિનંતિ કરી છે. તેણે કંપનીના એક અન્ય અધિકારી આર એસ દૂબે માટે પણ જામીન માગ્યા છે.

જૂથે ઉમેર્યું છે કે ’11 મેના ઓર્ડર મુજબ અરજદારોએ સેબીના અસહકાર છતાં ~ ૨૦૦ કરોડ જમા કરાવી દીધા છે. આ ઉપરાંત વધુ આશરે ~ ૩૦૦ કરોડની વ્યવસ્થા કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. એ માટે કોર્ટ પાસેથી નિર્દેશો મળી રહ્યા છે.’

સહારાએ કહ્યું હતું કે બેંક ખાતાઓ સ્થગિત કરી દેવા અને તેની અસ્કયામતો જમા કરવાથી જૂથ પર પ્રતિબંધ મુકવાને કારણે અમારો વેપાર ૩૧ મહિનાથી સંપૂર્ણપણે સ્થગિત અને કચડાઇ ગયો છે અને જો આ પ્રતિબંધ ઉઠાવવામાં નહિ આવે તો તેની ઘાતકી અસર જૂથ કંપનીઓ પર પડશે.

જૂથે ઉમેર્યું હતું કે જૂથે એફડી પર કમાવવામાં આવેલાં વ્યાજ સહિત ~ ૧૪૦૦૦ કરોડથી વધુની ચુકવણી સેબીને કરી છે. આ ઉપરાંત સેબી ~ ૨૦,૦૦૦ કરોડની કિંમતના ભાડે રાખવામાં આવેલી સંપત્તિના વાસ્તવિક દસ્તાવેજો પણ ધરાવે છે. એક આદેશમાં સેબીએ નોંધ્યું હતું કે સહારાની જવાબદારી વધીને ~ ૩૬,૦૦૦ કરોડ થઇ ગઇ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો