એપશહેર

કેન્દ્રિય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા: રેસ્ટોરાં અને હેરકટિંગ સલૂન હાલ નહીં ખોલી શકાય

નવરંગ સેન | I am Gujarat 25 Apr 2020, 3:07 pm
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકડાઉનમાં રાહત આપતા દુકાનો ખોલવાની શરતી મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના પરિપત્ર બાદ ગુજરાત સરકારે પણ આવતીકાલથી કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. જોકે, કેન્દ્રિય ગૃહ મંત્રાલયે વધુ એક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આવતીકાલથી રેસ્ટોરાં અને સલૂન નહીં ખૂલી શકે. કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર, ગુજરાતમાં પણ હાલ સલૂન, પાનનાં ગલ્લા, ચાની કિટલીઓ તેમજ રેસ્ટોરાં ચાલુ રાખી શકાશે નહીં.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઉલ્લેખનીય છે કે, સલૂન તેમજ રેસ્ટોરાંમાં ખૂબ જ વધારે લોકોની અવરજવર રહેતી હોય છે, અને અન્ય દુકાનોની સરખામણીએ સલૂન કે રેસ્ટોરાંમાં ગ્રાહકો ઘણો વધારે સમય વિતાવતા હોય છે. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત સેનેટાઈઝેશનનું ધ્યાન રાખવા છતાં કોરોનાનો ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને લાગી શકે છે.
આ ઉપરાંત ગૃહ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે, ઈ-કોમર્સ કંપનીઓ હાલ માત્ર જીવનજરુરિયાતની ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકશે. દારુનું વેચાણ કરતી દુકાનો પણ હાલ બંધ જ રહેશે, મતલબ કે ગુજરાતમાં પણ પરમિટવાલી લીકર શોપ્સ હાલ ખોલી નહીં શકાય.સીએમ વિજય રુપાણીના સચિવ અશ્વિની કુમાર પણ આજે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, પાનના ગલ્લા પણ બંધ જ રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાનના ગલ્લા છેલ્લા દોઢેક મહિનાથી બંધ કરી દેવાયા છે. લોકો પાન-મસાલા ખાઈને ગમે ત્યાં થૂંકતા હોવાથી તેના કારણે કોરોના ફેલાવાનો ભય રહેલો છે, જેથી પાનના ગલ્લાં ક્યારનાય બંધ કરાવી દેવાયા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story