એપશહેર

'હુઆ તો હુઆ': પિત્રોડાએ માગી માફી, કહ્યું- મારું હિંદી નબળું છે

I am Gujarat 10 May 2019, 8:34 pm
વર્ષ 1984ના શીખ રમખાણ સંબંધિત સામ પિત્રોડાનું નિવેદન ‘થયું તો થયું’ મુદ્દે વિવાદ થયા બાદ કોંગ્રેસ નેતાએ શુક્રવારના રોજ માફી માગી છે. પિત્રોડાએ કહ્યું કે મારું હિન્દી સારું નથી, જેના કારણે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. મારો કહેવાનો મતલબ એવો હતો કે જે થયું તે ખોટું થયું. હું મારા મગજમાં ખોટું થયું તેનો અનુવાદ કરી શક્યો નહોતો. તેમણે કહ્યું કે મને એ વાતનું દુ:ખ છે કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. હું માફી માગું છું. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો સામ પિત્રોડાના આ નિવેદનને લઈને ભાજપા સતત કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરી રહી છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લગભગ તમામ રેલીઓમાં પિત્રોડાના આ નિવેદનનો ઉલ્લેખ કરીને નિશાન સાધ્યું. હરિયાણાની એક ચૂંટણી સભામાં તેમણે કહ્યું કે કાલે, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે વર્ષ 1984ના રમખાણ ‘થયા તો થયા’. આ ત્રણ શબ્દો કોંગ્રેસના અહંકારને દર્શાવે છે. પંજાબના હોશિયારપુરમાં તેમણે કહ્યું કે ત્રણ દાયકાથી શીખ ભાઈઓ અને બહેનોને ન્યાય મળ્યો નથી ત્યારે હવે કોંગ્રેસ કહે છે કે ‘થયું તો થયું’.
શુક્રવારના રોજ કોંગ્રેસના સામ પિત્રોડા પત્રકારો સમક્ષ આવ્યા અને કહ્યું કે મારો કહેવાનો મતલબ એવો હતો કે મૂવ ઓન (આગળ વધો). અમારી પાસે ચર્ચા કરવા માટે ઘણું બધું છે, જેમ કે બીજેપીએ ગત પાંચ વર્ષમાં શું કર્યું અને શું આપ્યું. તેમણે કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો