એપશહેર

શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ કરનારા સમીર વાનખેડેએ RSS હેડક્વાર્ટરની મુલાકાત લેતા તર્ક-વિતર્ક, રાજકારણમાં ઝંપલાવશે?

શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યનની ખાન (Aryan Khan)ની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી ચર્ચામાં આવેલા મહારાષ્ટ્રના એનસીબી અધિકારી સમીર વાનખેડે ફરી એકવખત ચર્ચામાં છે. આ વખતે તેઓ નાગપુરમાં આરએસએસ (RSS) હેડક્વાર્ટરની મુલાકાતને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમની આ મુલાકાતથી અટકળો લગાવાઈ રહી છે કે તેઓ ટૂંક સમયમાં જ રાજકારણમાં ઝંપલાવશે.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 20 Mar 2023, 5:34 pm
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સામે ડ્રગ્સની કાર્યવાહીને લઈને વિવાદોમાં આવેલા એનસીબી અધિકારી સમીર વાનખેડે રવિવારે નાગપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના હેડક્વાર્ટર પણ ગયા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અહીં તેમણે આરએસએસના સંચાલક કેશવ હેડગેવાર અને ગોલવલકરની સમાધિને પુષ્પાંજલિ પણ અર્પિત કરી હતી. વાનખેડે સાથે તેમના પત્ની ક્રાંતિ રેડકર પણ હતા. સમીર વાનખેડેની આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાતને પગલે તેમની રાજકારણમાં એન્ટ્રીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.
I am Gujarat Sameer Wankhede
મહારાષ્ટ્રના આઈઆરએસ ઓફિસર સમીર વાનખેડે પત્ની સાથે નાગપુરમાં આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાતે પહોંચ્યા હતા.


સોશિયલ મીડિયા પર સમીર વાનખેડેની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ આરએસએસ હેડક્વાર્ટરના અલગ-અલગ ભાગોમાં જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં સમીર વાનખેડે સંઘના સંચાલક કેશવ હેડગેવારની મૂર્તિ સામે જોવા મળી રહ્યા છે.

સમીર વાનખેડે હાલમાં ચેન્નઈમાં ડીજીટીએસ અધિકારી તરીકે તૈનાત છે. તેઓ રવિવારે સંઘના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. સમીર અહીં ઘણા કલાકો રોકાયા હતા અને સંઘના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને સંઘ તરફથી કોઈ સ્ટેટમેન્ટ અપાયું નથી, તો સમીર વાનખેડે પણ મૌન ધારણ કરી રાખ્યું છે.

સમીર વાનખેડે મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેઓ ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)ના 2008ની બેન્ચના ઓફિસર છે. તેમના પિતા જ્ઞાનદેવ વાનખેડે પણ પોલીસ અધિકારી રહી ચૂક્યા છે. સમીર વાનખેડેની છબિ એક હોંશિયાર અધિકારી તરીકેની છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત પછી જે રીતે તેમણે બોલિવૂડ એક્ટર્સના ડ્રગ્સ કનેક્શન શોધ્યા અને કાર્યવાહી કરી હતી, તેનાથી હલચલ મચી ગઈ હતી. તેમની તપાસના કારણે રિયા ચક્રવર્તીની ધરપકડ થઈ અને દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, અર્જુન રામપાલ અને શ્રદ્ધા કપૂર જેવા મોટા-મોટા સ્ટાર્સને એનસીબી ઓફિસ આવવું પડ્યું હતું. બાદમાં આર્યન ખાનની ધરપકડે તેમને ચર્ચામાં લાવી દીધા હતા.

સમીર વાનખેડે પર એનસીપીના નેતા નવાબ મલિકે ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે વાનખેડે પર મુસ્લિમ હોવાનો આરોપ લગાવ્યો હતો. મલિકે કહ્યું હતું કે, સમીર વાનખેડે હિંદુ મહાર નહીં, પરંતુ મુસ્લિમ હતા. એનસીપીના નેતાએ સવાલ ઉઠાવ્યો હતો કે, વાનખેડેના પિતાનું નામ દાઉદ છે કે જ્ઞાનદેવ? મલિકે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, સમીર વાનખેડેએ જાતિનું ખોટું પ્રમાણપત્ર આપીને સરકારી નોકરી મેળવી હતી. પરંતુ આ મામલામાં તપાસ સમિતિએ તેમને ક્લીન ચિટ આપી દીધી હતી.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો