એપશહેર

બોમ્બે હાઈકોર્ટનો આદેશ, 'સંજય રાઉતને જણાવવું પડશે કે કોને કહ્યું હતું હરામખોર'

I am Gujarat 28 Sep 2020, 3:51 pm
મુંબઈઃ ફિલ્મ એક્ટ્રેસ કંગના રનૌતની ઓફિસ તોડવા મામલે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટની સુનાવણી દરમિયાન વિવાદિત શબ્દ 'હરામખોર'ની પણ ચર્ચા થઈ. તેના પર કોર્ટે કહ્યું કે સંજય રાઉતે આ જણાવવપં પડશે તે તેમણે આ શબ્દ કોના માટે ઉપયોગ કર્યો હતો. કોર્ટની સુનાવણી 3 વાગ્યે ફરીથી શરૂ થઈ ગઈ છે.
I am Gujarat sajnay


કોર્ટે કંગના રનૌતના વકીલને બીએમસીની કાર્યવાહી સાથે જોડાયેલી ફાઈલ અને સંજય રાઉતના બંને ઈન્ટરવ્યૂની ક્લીપ લાવવા માટે કહ્યું. આ પહેલા કંગનાની ઓફિસમાં કોડફોડને લઈને બીએમસીના વકીલે કહ્યું, કંગના કહે છે કે આ બધું તેના 5 સપ્ટેમ્બરવાળા ટ્વીટના કારણે થયું તો તે ટ્વીટ શું હતું કોર્ટની સામે રજૂ કરવામાં આવે જેથી ટાઈમિંગ વિશે ખબર પડી શકે.

કોર્ટમાં સંભળાવાઈ રાઉતની વિવાદીત ઓડિયો ક્લીપ
કંગનાના વકીલે તેના પર દલીલ કરી, કંગનાએ સરકાર વિરુદ્ધ કેટલાક નિવેદન આપ્યા હતા અને તેમના એક ટ્વીટ પર સંજય રાઉતની ખૂબ જ ખરાબ પ્રતિક્રિયા આવી હતી. રાઉતે કહ્યું હતું કે, કંગનાને પાઠ ભણાવવો પડશે. સાથે જ કોર્ટમાં કંગનાના વકીલ બિરેન્દ્ર સરાફે સંજય રાઉતના તે નિવેદનની વિડીયો ક્લીપ પ્લે કરી જેમાં તેમણે 'હરામખોર' શબ્દનો પ્રયોગ કર્યો હતો.

કોર્ટે પૂછ્યું- શું રાઉતનું નિવેદન રેકોર્ડ કરી શકાય છે?
તેના પર સંજય રાઉતના વકીલે કહ્યું, મારા ક્લાયન્ટે કોઈને નામ નથી લીધું. કોર્ટે રાઉતના વકીલ પ્રદીપ થોરાટને પૂછ્યું, જો સંજય રાઉત કહી રહ્યા છે કે તેમણે કંગના માટે આ શબ્દનો ઉપયોગ નથી કર્યો તો શું આપણે આ નિવેદનને રેકોર્ડ કરી શકીએ છીએ? રાઉતના વકીલે કહ્યું, હું તેના પર પોતાનું એફિડેવિટ કાલે ફાઈલ કરીશ.

2 કરોડના વળતરની સુનાવણી પર કોર્ટે શું કહ્યું?
જ્યારે બીએમસી-કંગના વિવાદની સુનાવણી પર 2 કરોડના વળતરની માગણી પર કંગનાના વકીલે કહ્યું, જે નુકસાન થયું છે તેનું આકલન કર્યા બાદ અમે તે પરિણામ પર પહોંચ્યા છીએ. જો કોર્ટ ઈચ્છે તો કોઈને મોકલીને નુકસાનની તપાસ કરી શકે છે. કોર્ટે બીએમસીની કાર્યવાહી સાથે જોડાયેલી ફાઈલ આજે 3 વાગ્યા સુધી કોર્ટમાં રજૂ કરવા માટે કહ્યું હતું.

રાઉતની બંને ઓડિયો ક્લીપ રજૂ કરાશે
આ સાથે જ સંજય રાઉતના બંને ઈન્ટરવ્યૂની ક્લીપ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં સંજય રાઉત આપત્તિજનક શબ્દો બોલી રહ્યા છે અને બીજામાં તેનો મતલબ સમજાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુશાંત કેસમાં વચ્ચે કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે લાંબા સમયથી તકરાર જોવા મળી રહી છે. કંગનાએ ઘણા મામલામાં મહારાષ્ટ્ર સરકારની ટિકા કરી હતી. જે બાદ બીએમસીની ઓફિસમાં ગેરકાયદે નોટિસ આપી અને આગલા દિવસે તેને તોડી પાડી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો