એપશહેર

ATMમાંથી 10 હજાર કે તેથી વધારે રકમ ઉપાડવા માટે SBIએ બદલ્યા નિયમ

હવે SBIના ATMમાંથી રૂપિયા 10 હજાર અથવા તે કરતા વધુ રૂપિયા ઉપાડવા માટે OTPની જરૂર પડશે.

I am Gujarat 15 Sep 2020, 9:35 pm
નવી દિલ્હી: ડેબિટ કાર્ડ અથવા ATM કાર્ડથી પૈસા ઉપાડવામાં વધી રહેલી છેતરપિંડીની ઘટના પર રોક લગાવવા માટે દેશની સૌથી મોટી બેંક SBI (State Bank of India)એ મોટો નિર્ણય લીધો છે. હવે SBIના ATMમાંથી રૂપિયા 10 હજાર અથવા તે કરતા વધુ રૂપિયા ઉપાડવા માટે દિવસે પણ OTPની જરૂર પડશે. કારણકે અત્યાર સુધી રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી આટલી રકમ ઉપાડવા માટે OTPની જરૂર પડતી હતી. આ વ્યવસ્થા તારીખ 18 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ થશે. આ સાથે જ હવે SBI બેંકે પોતાના તમામ ગ્રાહકોને મોબાઈલ નંબર અપડેટ કરવાનું જણાવ્યું છે.
I am Gujarat w4


SBI તરફથી જણાવ્યા મુજબ બેંકે તેના ATMની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ગ્રાહકોની સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે. SBIએ તારીખ 1 જાન્યુઆરી, 2020થી એવી શરૂઆત કરી હતી કે ATMના માધ્યમથી રાત્રે 8થી સવારે 8 વાગ્યા સુધી રૂપિયા 10 હજાર કરતા વધુ રૂપિયા ઉપાડવા માટે OTP જરૂરી રહેશે. હવે દેશના તમામ SBI ATMમાં આ વ્યવસ્થાને આખા દિવસ-રાત માટે લાગુ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા તારીખ 18 સપ્ટેમ્બરથી લાગુ થશે. હવે SBIના ATMમાંથી રૂપિયા 10 હજાર અથવા તેના કરતા વધારે રકમ ઉપાડવા માટે પોતાના ડેબિટ કાર્ડ પિનની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલો OTP પણ આપવો પડશે.

SBIનું કહેવું છે કે જે ગ્રાહકો રૂપિયા 10 હજાર અથવા તેના કરતા વધારે રકમ ઉપાડે છે તેમણે બેંકમાં પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવવો જોઈએ. ગ્રાહક જે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે તે નંબર બેંકના અકાઉન્ટની સાથે કનેક્ટ કરાવી લે. OTP આધારિત પૈસા ઉપાડવા માટેની સુવિધા માત્ર SBIના ATMમાં ઉપલબ્ધ છે.

Read Next Story