ધનનંજય મહાપાત્રા અને આનંદ ચૌધરી, નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ અદાલતે 32 અઠવાડિયાની પ્રેગ્નેન્ટ બળાત્કાર પીડિતાના ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે મેડિકલ બોર્ડના રિપોર્ટ મુજબ આ નિર્ણય લીધો છે જેમાં કહેવાયું છે કે ગર્ભપાત કરવું પીડિત અને બાળક માટે યોગ્ય નહીં રહે. મુખ્ય ન્યાયધીશ જગદીશસિંહ ખેહર અને ન્યાયમૂર્તિ ધનન્જય વાઈ ચન્દ્રમૂડની પીઠે સોલિસીટર જનરલ રંજીત કુમારને કહ્યું કે, મોટી સંખ્યામાં આ પ્રકારના કેસો સુપ્રીમ કોર્ટમાં આવી રહ્યા છે, માટે આવા કેસોમાં જલદી ગર્ભપાત કરાવવાની સંભાવના અંગે ઉતાવળે નિર્ણય લેવાના હેતુથી દરેક રાજ્યમાં એક સ્થાઈ મેડિકલ બોર્ડની રચના કરવાની સલાહ પર વિચાર કરવામાં આવશે. કોર્ટે ચંદિગઢ દ્વારા રચાયેલી મેડિકલ બોર્ડના રિપોર્ટને ધ્યાનમાં લીધા. આ મેડિકલ બોર્ડ બળાત્કાર પીડિતાના પરીક્ષણ અને ગર્ભપાતની મંજૂરી આપવાની સ્થિતિના પરિણામોના અધ્યયન પર રિપોર્ટ આપવા માટે રચના કરવામાં આવી હતી. કોર્ટની બેંચે બળાત્કાર પીડિતાની સારવાર અંગે સંતોષ વ્યક્ત કર્યો અને તેના ગર્ભપાતની મંજૂરી અંગેની અરજીને ફગાવી દીધી.ચંદિગઢ જિલ્લાની કોર્ટ દ્વારા 18 જુલાઈએ આ બળાત્કાર પીડિતાના ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈનકાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે આ જાહેરહિતની અરજી દાખલ કરી હતી. મેડિકલ કોન્સેપ્શન લો હેઠળ 20 અઠવાડિયા સુધીના ભ્રૂણના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે છે અને તે ભ્રૂણના અનુવાંશિક રુપે અસામાન્ય હોવાની સ્થિતિમાં અપવાદ સ્વરુપ આદેશ પણ આપી શકે છે. આ અરજીમાં બાળ બળાત્કાર પીડિતાના મામલામાં ગર્ભપાતના કેસોમાં ઉતાવળે નિર્ણય લેવા માટે દરેક જિલ્લામાં સ્થાઈ મેડિકલ બોર્ડની રચના હેતુ દિશાનિર્દેશ બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.