એપશહેર

કોરોનાકાળમાં કેટલાંક રાજ્યોમાં ખુલી સ્કૂલ પણ પેરેન્ટ્સ હજુ બાળકને મોકલવા તૈયાર નથી

કેન્દ્રની ગાઈડલાઈન મુજબ તારીખ 21 સપ્ટેમ્બરથી દેશના જે રાજ્યો ધોરણ 9થી 12 સુધીની સ્કૂલ ખોલવા માટે ઈચ્છુક હતા તેઓ SOP અનુસાર સ્કૂલ ખોલી શકતા હતા.

I am Gujarat 29 Sep 2020, 10:37 pm
નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે બંધ રહેલી સ્કૂલ કેટલાંક રાજ્યોમાં એક અઠવાડિયા પહેલા ખુલી છે. પરંતુ, કોરોના વાયરસની મહામારીના કારણે સ્કૂલોમાં પહેલા જેવી હાજરી અને રોનક જોવા મળી નહીં. સરકારે ધોરણ 9થી 12 સુધીના બાળકો માટે સ્કૂલ ખોલવા સંબંધિત ગાઈડલાઈન જાહેર કરી હતી. જો બાળકો સ્કૂલે જવા માગતા હોય તો માતા-પિતાની લેખિતમાં અનુમતિ મેળવવી ફરજિયાત કરવામાં આવી હતી. દેશના જે રાજ્યોમાં સ્કૂલો ખુલી છે ત્યાં માતા-પિતા કોરોનાના ડરથી બાળકોને સ્કૂલ મોકલી રહ્યા નથી અથવા મોકલતા પહેલા વિચારી રહ્યા છે.
I am Gujarat w1


કેન્દ્રની ગાઈડલાઈન મુજબ તારીખ 21 સપ્ટેમ્બરથી દેશના જે રાજ્યો ધોરણ 9થી 12 સુધીની સ્કૂલ ખોલવા માટે ઈચ્છુક હતા તેઓ SOP અનુસાર સ્કૂલ ખોલી શકતા હતા. તેમ છતાં સ્કૂલ શરૂ થયા પછી પણ વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ ઓછી છે. કોરોના વાયરસના ડરથી માતા-પિતા બાળકોને સ્કૂલે મોકલતા સંકોચ અનુભવી રહ્યા છે. 21 સપ્ટેમ્બરે ખુલી હોય તેવી ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરીને ધ્યાનમાં રાખતા 30 સપ્ટેમ્બર સુધી કેમ્પસ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ માટે સ્કૂલોની છે કંઈક આ પ્રકારની તૈયારી
  • માતા-પિતાની લેખિત અનુમતિ મેળવ્યા પછી બાળકો શાળામાં અભ્યાસ કરવા માટે આવી શકે છે.
  • બીમાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઓનલાઈન ક્લાસ જરૂરી
  • વિરામ અને ફ્રી ટાઈમમાં વિદ્યાર્થીઓ એકજગ્યાએ ભેગા થઈ શકશે નહીં
  • સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને તમામ કર્મચારીઓ માટે માસ્ક પહેરવું જરૂરી
  • થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા
  • આવવા-જવા માટે સ્કૂલમાં એક કરતા વધારે ગેટની વ્યવસ્થા
  • ક્લાસરૂમના ડેસ્ક, ટીચિંગ મટીરિયલ, કોમ્પ્યુટર, લેપટોપને સતત ડિસઈન્ફેક્ટ કરવામાં આવે. ઓનલાઈન ક્લાસ પણ સતત ચાલુ રહે.
બીજીબાજુ બાળકોના માતા-પિતાનું એવું કહેવું છે કે દેશમાં જે રીતે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે તે જોતા અમે કોઈ સંજોગોમાં બાળકોને હાલ શાળાએ મોકલવા માટે તૈયાર નથી. હજુ પણ કોરોના વાયરસનો ડર સતાવી રહ્યો છે.

Read Next Story