એપશહેર

6 મહિના બાદ અલગ-અલગ રાજ્યોમાં સ્કૂલો ખુલી, ગુજરાતમાં હજુ 3 મહિના થશે?

ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલો ખુલશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે, જોકે વાલીઓના નિર્ણયના લીધે વધુ સમય લાગી શકે છે.

I am Gujarat 21 Sep 2020, 1:06 pm
અમદાવાદઃ અનલોક 4.0માં કેન્દ્ર સરકારે લગભગ 6 મહિના બાદ ધોરણ-9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાની મંજૂરી આપી છે. આવામાં ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં સ્કૂલો ખોલવામાં આવી નથી. સરકારે જણાવ્યું હતું કે 21 સપ્ટેમ્બરથી સ્કૂલે જઈ શકાશે, જે પછી રાજ્યોએ સ્કૂલો ખોલવી કે નહીં તે અંગે રાજ્યની સ્થિતિ પ્રમાણે સ્વતંત્ર નિર્ણય લેવાનો હતો. જોકે, હજુ સુધી મધ્યપ્રદેશ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને હરિયાણા જ સ્કૂલો ખોલવા માટે રાજી થયા છે. પરંતુ અન્ય રાજ્યોએ કોરોનાની સ્થિતિને આગળ ધરીને સ્કૂલો ખોલવાનો નિર્ણય નથી લીધો.
I am Gujarat schools reopen in india after 6 months not in gujarat and many other states
6 મહિના બાદ અલગ-અલગ રાજ્યોમાં સ્કૂલો ખુલી, ગુજરાતમાં હજુ 3 મહિના થશે?


ગુજરાત સહિત દિલ્હી, કેરળ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોએ સ્કૂલો ખોલવા અંગે અસહમતિ દર્શાવી છે. જ્યારે અન્ય રાજ્યોએ સ્પષ્ટ જણાવ્યું છે કે કોરોના સંક્રમણના વધતા સંકટ વચ્ચે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માગતા નથી, માટે હમણા સ્કૂલો નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર અને દિવાળીનું વેકેશન આ બન્ને બાબતોને ધ્યાનમાં રાખીને તે પછી જ સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. પરંતુ દિવાળી વેકેશન પછી સ્કૂલો ખુલશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્માએ જણાવ્યું કે, કોવિડ-19 સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્કૂલો નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં વાલીઓ પર કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના બાળકોને હાલ સ્કૂલે મોકલવાનો ઈનકાર કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણાં વાલીઓ એવું પણ કહી રહ્યા છે કે તેઓ પોતાના બાળકોને હવે નવા શૈક્ષણિક વર્ષથી સ્કૂલે મોકલવા માગે છે. આવામાં રાજ્ય સરકાર દ્વારા પણ સ્થિતિ પર નજર કરીને આ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. જેથી માનવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં હજુ સ્કૂલો ખુલતા 3 મહિના જેટલો સમય લાગી શકે છે. જોકે, આ અંગે રાજ્ય સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

બીજી તરફ આજથી જમ્મુમાં ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ પોતાના વાલીઓની મંજૂરી સાથે સ્કૂલોએ જવાનું શરુ કર્યું છે. જેના માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના સંક્રમણથી બચવાની ગાઈડલાઈન્સ પણ જારી કરાઈ છે. આસામમાં પણ સ્કૂલ અને કૉલેજ ખોલી દેવામાં આવ્યા છે.

પંજાબમાં સરકારે 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષકોના માર્ગદર્શન માટે સ્કૂલો ખોલી દેવામાં આવી છે. જોકે, કોરોના કન્ટેનમેન્ટ ઝોનની બહારની સ્કૂલો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પણ સ્કૂલો ખોલવામાં આવી છે.

આ તરફ ઉત્તરાખંડ સરકારે સ્કૂલો ના ખોલવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં આંશિક રીતે સ્કૂલો ખુલી રહી છે જેમાં ક્લાસરુમમાં ભણાવવામાં નહીં આવે.

આ રીતે રાજસ્થાનમાં આજથી સ્કૂલો ખુલી ગઈ છે, જ્યાં વિદ્યાર્થીઓએ વાલીઓના સહમતી પત્ર સાથે હાજર થવાનું રહેશે. રાજ્યના શિક્ષણમંત્રી ગોવિંદસિંહ ડોટાસરાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રની ગાઈડલાઈનમાં સ્કૂલમાં બાળકોને મુઝવતા મુદ્દાઓને સમાઝાવવા માટે શિક્ષકો હાજર રહેશે પરંતુ ક્લાસ શરુ કરવામાં નહીં આવે.

જ્યારે આજથી જે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા થયા છે તેમણે સરકારના નિયમનો આભાર માન્યો છે. સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓએ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન થાય તે માટેની પણ તૈયારી બતાવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો