એપશહેર

બીજો સીરો સર્વે: દર 15મો ભારતીય કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યો છે, રાજ્યોને ચેતવણી

બીજા સીરો રિપોર્ટમાં એક મહત્વની વાત એ પણ સામે આવી કે, કોરોના વાયરસથી શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારો ઓછા પ્રભાવિત થયા છે.

I am Gujarat 29 Sep 2020, 6:29 pm
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, સીરો સર્વે (National Sero Survey)ના બીજા રિપોર્ટ મુજબ, દેશની એક મોટી વસ્તી હજુ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી શકે છે. ડીજી આઈસીએમઆર (ICMR) બલરામ ભાર્ગવે જણાવ્યું કે, આઈસીએમઆરના બીજા નેશનલ સીરો રિપોર્ટ મુજબ, ઓગસ્ટ 2020 સુધી 10 વર્ષથી વધુ ઉંમરનો દર 15મો શખસ કોરોના ઝપેટમાં આવી ચૂક્યો છે.
I am Gujarat Sero Report
બીજા સીરો રિપોર્ટમાં એક મોટી વસ્તી કોરોનાની ઝપેટમાં આવવાની આશંકા વ્યક્ત કરાઈ.


દેશમાં કોરોનાને લઈને ઊભી થયેલી સ્થિતિ અને વર્તમાન સ્થિતિની જાણકારી આપવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય, આઈસીએમઆર અને નીતિ આયોગે મંગળવારે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. ડીજી આઈસીએમઆર બલરામ ભાર્ગવે જણાવ્યું કે, 'સીરો રિપોર્ટમાં એક મોટી વસ્તી કોરોનાની ઝપેટમાં આવવાની આશંકા વ્યક્ત કરાઈ છે, એવામાં 5T સ્ટ્રેટેજી (ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ, ટ્રીટ અને ટેકનોલોજી)ને અપનાવવા પડશે.' તેમણે કહ્યું કે, 'બીજા સીરો રિપોર્ટ મુજબ, ઓગસ્ટ સુધીમાં 10 વર્ષથી ઉપરનો દર 15મો શખસ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે.'

ICMRએ આગામી કેટલાક મહિના માટે આપી ચેતવણી
આઈસીએમઆરના ડીજીએ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે, આગામી તહેવારની સીઝન, ઠંડીની ઋતુને જોતા તેઓ ખાસ સતર્ક રહે. તેમણે કહ્યું કે, 'આગામી કેટલાક મહિના દરમિયાન ઘણા મોટા તહેવાર, ઠંડીની ઋતુ અને મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની આશંકાને પગલે રાજ્ય સરકારોએ નવી કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી અપનાવવી પડશે.'

સીરો રિપોર્ટમાં ખુલાસો, ગ્રામ્ય વિસ્તાર ઓછા પ્રભાવિત
ડીજી આઈસીએમઆર બલરામ ભાર્ગવે એક મોટી વાત પણ કરી. તેમણે જણાવ્યું કે, બીજા સીરો રિપોર્ટ મુજબ, કોરોના વાયરસથી ગ્રામ્ય વિસ્તારો એટલા પ્રભાવિત નથી થયા. તેમણે કહ્યું કે, 'બીજા સીરો સર્વે રિપોર્ટ મુજબ, SARS-CoV2થી સૌથી વધુ પ્રભાવિત શહેરના સ્લમ અને નોન-સ્લમ વિસ્તાર થયા છે. ગ્રામ્ય વિસ્તારો ઓછા પ્રભાવિત થયા છે.'

સપ્ટેમ્બરમાં થયા લગભગ 3 કરોડ કોરોના ટેસ્ટબીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં દેશભરમાં લગભગ 3 કરોડ કોરોના ટેસ્ટ થયા છે. દેશમાં પ્રતિ 10 લાખ વસ્તી પર ટેસ્ટની સંખ્યા 50 હજારના આંકડાને પાર કરી ગઈ છે. રાજેશ ભૂષણે કહ્યું કે, 'પ્રતિ 10 લાખ વસ્તી પર મૃતકોની સંખ્યા ભારતમાં સમગ્ર દુનિયામાં સૌથી ઓછી છે. તે ઉપરાંત ભારતમાં અત્યાર સુધીમાં 51 લાખ કોરોના દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જે સમગ્ર દુનિયામાં સૌથી વધુ છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો