એપશહેર

વાજપેઈ, તેજસ્વી, કેજરીવાલને ઝાટકો આપી ચુક્યા છે એક્ઝિટ પોલ્સ, શું કહે છે ઇતિહાસ?

Exit Polls: એક્ઝિટ પોલ્સ તૈયાર કરનારા પણ 100% સાબિત નથી આપી શકતા કે પરિણીમ તેમણે જે અનુમાન કર્યું છે તે પ્રમાણેનું જ આવશે. અટલ બિહારી વાજપેઈને એક્ઝિટ પોલ્સના કારણે ભરેલા પગલા બાદ વડાપ્રધાનની ખુરશી ગુમાવવાનો વારો આવ્યો હતો. આજ રીતે 2014માં ભાજપે એક્ઝિટ પોલ્સના પરિણામોને મોટો ઝાટકો આપ્યો હતો. ગુરુવારે યુપી સહિત પંજાબ, મણિપુર અને ગોવા વિધાનસભાના પરિણામોની જાહેરાત થવાની છે.

Edited byTejas Jingar | I am Gujarat 9 Mar 2022, 8:15 am

હાઈલાઈટ્સ:

  • ચૂંટણી પછીના એક્ઝિટ પોલ અને પરિણામો વચ્ચે હોય છે મોટી ભેદરેખા
  • એક્ઝિટ પોલ કઈ રીતે તૈયાર કરવામાં આવતા હોય છે તે જાણવું જરુરી છે
  • ઘણાં દિગ્ગજ નેતાઓને એક્ઝિટ પોલના લીધે ભોંઠા પડવાનો વારો આવ્યો છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Exit Poll
એક્ઝિટ પોલ કઈ રીતે તૈયાર કરાય છે?
લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું ગુરુવારે પરિણામ આવી રહ્યું છે, જોકે આ પહેલા આવેલા એક્ઝિટ પોલના કારણે રાજકારણ ગરમાયું છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, હવે એવું પણ માનવું છે કે એક્ઝિટ પોલને જ પરિણામ માનવાથી બચવું જોઈએ કારણ કે તે દર વખતે ખરું પડતું નથી. એક્ઝિટ પોલ તૈયાર કરનારા લોકોનું પણ માનવું છે કે તે દરેક વખતે એકદમ સાચા સાબિત થાય તેવું નથી હોતું. આવામાં એવું સ્પષ્ટ રીતે ના કહી શકાય કે કઈ પાર્ટી સરકાર બનાવી રહી છે?
ગુરુવારે ઉત્તરપ્રદેશ સહિત પંજાબ, મણિપુર અને ગોવા વિધાનસભાના પરિણામોની જાહેરાત થવાની છે, જેની સાથે માત્ર પ્રજા કે પાર્ટીની નહીં પરંતુ એક્ઝિટ પોલ તૈયાર કરનારા લોકોની પણ પરીક્ષા થશે. એક્ઝિટ પોલના ઇતિહાસને જોઈએ તો આંકડા વાસ્તવિક પરિણામથી ઘણા દૂર રહેતા હોય છે.

સૌથી 'સાચા' એક્ઝિટ પોલ

અત્યાર સુધીના સૌથી ચર્ચિત અને સાચા પડેલા એક્ઝિટ પોલ 2014ના માનવામાં આવે છે. અત્યાર સુધીની લોકસભા ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલ્સે દાવો કર્યો હતો કે ભાજપ સૌથી વધારે બેઠકો સાથે જીત મેળવશે. ત્યારે ભાજપને 200થી 300 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. જેમાં કોંગ્રેસને માત્ર 70 બેઠકો મળશે તેવું અનુમાન હતું. જ્યારે આ એક્ઝિટ પોલ સામે આવ્યા ત્યારે રાજકીય વિશ્લેષકોએ તેમની ઘણી મજાક ઉડાવી હતી, પરંતુ ત્યારે જે પરિણામ સામે આવ્યા તેણે સૌ કોઈને આશ્ચર્ય કરી દીધા હતા.

આ પછી 2014ના પરિણામમાં ભાજપના નેતૃત્વવાળી NDAને 334 બેઠકો મળી હતી. જ્યારે યુપીએને માત્ર 60 બેઠકો મળી હતી. ભાજપને અહીં 282 બેઠકો મળી હતી, અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. આ પહેલા 2004ના એક્ઝિટ પોલ સૌથી મોટા ઉલટફેર ઉદાહરણ બનીને સામે આવ્યા હતા. આત્મવિશ્વાસથી ભરેલી અલટ બિહાર વાજપેઈની નેતૃત્વવાળી NDAને ત્યારે ચૂંટણી કરાવવાનો નિર્ણય કરી લીધો હતો. તેની પાછળનું કારણ મોટાભાગના ઓપિનિયન પોલ્સ ભાજપ ફરી સત્તામાં આવશે તેવો દાવો કરાઈ રહ્યો હતો અને માનવામાં આવી રહ્યું હતું કે અટલ બિહારી વાજપેઈ પ્રધાનમંત્રી ઓફિસમાં પરત ફરશે.

જ્યારે એક્ઝિટ પોલે આપ્યો હતો ઝાટકો

આ વર્ષે કોઈ પણ એક્ઝિટ પોલે કોંગ્રેસને સત્તામાં લાવવાની તક નહોતી આપી પરંતુ જ્યારે ચૂંટણી થઈ ગઈ અને પરિણામ સામે આવ્યું ત્યારે ભાજપને મોટો ઝાટકો મળ્યો. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી અને ભારતીય જનતાના પાર્ટી નેતૃત્વવાળી NDA સરકાર બહાર હતી. વધારે દૂર ના જઈએ અને વર્ષ 2017ના એક્ઝિટ પોલની વાત કરીએ તો ઘણી સર્વે એજન્સીઓએ પંજાબમાં આપની સરકાર બનવાનો દાવો કર્યો હતો પરંતુ પરિણામ આવ્યા તો તે કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સ્પષ્ટ વિજેતા તરીકે સામે આવી. ઉત્તર પ્રદેશમાં 2017માં કોઈ પણ એક્ઝિટ પોલે ભાજપ માટે 300 બેઠકોનું અનુમાન નહોતું કર્યું પરંતું ભાજપને 300 કરતા વધારે બેઠકો મળી હતી.

શા માટે ખોટા પડી શકે છે એક્ઝિટ પોલ?

એક્ઝિટ પોલ સામાન્ય રીતે મતદારો સાથે મતદાન બાદ કરેલી વાતચીતના આધારે તૈયાર કરવામાં આવે છે. તેમણે ઓપિનિયન પોલ કરતા વધારે વિશ્વાસવાળા માનવામાં આવે છે. જોકે, એક્ઝિટ પોલ્સ માટે સેમ્પલ સાઈઝ હંમેશા પુરતા પ્રમાણમાં હોતી નથી, જેના કારણે ખાસ કરીને વિધાનસભા કે લોકસભા વિસ્તારમાં પ્રજાના મૂડને સાચી રીતે ઓળખવો મુશ્કેલ છે. એક અન્ય કારણ શરમાળ કે ચૂપ મતદાતા કે જેઓ પોતાની પસંદ અંગે સ્પષ્ટ રીતે કશું જણાવતા નથી, અને તેનાથી બચે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો