એપશહેર

સુશાંત કેસમાં હવે બોલ્યા શરદ પવાર, CBI તપાસનો વિરોધ નથી પરંતુ મુંબઈ પોલીસ પર પૂરો વિશ્વાસ

એક વ્યક્તિએ આત્મહત્યા કરી તો આટલું થઈ રહ્યું છે, 20 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી, પરંતુ તેના પર વાત નથી કરવામાં આવી રહી.

I am Gujarat 12 Aug 2020, 6:10 pm
મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત પર રાજનીતિ થઈ ગઈ છે. શિવસેનાના સંજય રાઉત બાદ NCP ચીફ શરદ પવાર પણ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ઉતરી આવ્યા છે. પવારે કહ્યું કે તેમને મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની તપાસ પર પુરો વિશ્વાસ છે. જોકે કોઈને લાગે છે કે આની સીબીઆઈ તપાસ થવી જોઇએ તો મને આનાથી કોઈ વાંધો નથી. આ ઉપરાંત તેમણે અજિત પવારના દીકરા પાર્થ પવાર તરફથી કરવામાં આવેલી સીબીઆઈ તપાસની માંગને પણ ફગાવી દીધી. શરદ પવારે કહ્યું કે પાર્થ બાળક છે, અનુભવ વગરનો છે.
I am Gujarat sharad pawar speaks on sushant singh rajput suicide case
સુશાંત કેસમાં હવે બોલ્યા શરદ પવાર, CBI તપાસનો વિરોધ નથી પરંતુ મુંબઈ પોલીસ પર પૂરો વિશ્વાસ


શરદ પવારે કહ્યું કે, જે રીતે આ ઘટનાને મીડિયામાં મહત્વ આપવામાં આવી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. તપાસ સીબીઆઈ અથવા કોઈ બીજું કરે, પરંતુ મને મુંબઈ પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે. બીજી તરફ આ ઘટનામાં ઠાકરે પરિવારને બદનામ કરવાના ષડયંત્ર પર તેમણે કહ્યું કે, અમને નથી ખબર કે આની પાછળ શું ઉદ્દેશ છે. પવારે કહ્યું કે, મને મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ પર છેલ્લા 50 વર્ષોથી વિશ્વાસ છે. તપાસ કોઈ પણ પાસે કરાવવામાં આવે, તે રાજ્ય સરકાર અને સીબીઆઈનો વિષય છે.'

તેમણે આગળ કહ્યું કે, એક વ્યક્તિએ આત્મહત્યા કરી તો આટલું થઈ રહ્યું છે, પરમ દિવસે સતારામાં એક ખેડૂતે કહ્યું કે અમારા જિલ્લામાં 20 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી, પરંતુ તેના પર વાત નથી કરવામાં આવી રહી. ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત બિહાર વિરુદ્ધ મહારાષ્ટ્રની લડાઈ બની ગઈ છે. પવારથી પહેલા શિવસેના સાંસદ સંજય રાઉત પણ આ મુદ્દે બોલી ચુક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો