એપશહેર

ભાજપ સાથે ગઠબંધનથી શિવસેનાને નુકસાન: ઉદ્ધવ

I am Gujarat 27 Jul 2016, 1:29 am
એજન્સી મુંબઇ
I am Gujarat shiv sena
ભાજપ સાથે ગઠબંધનથી શિવસેનાને નુકસાન: ઉદ્ધવ


શિવસેનાને ભાજપ સાથેના ગઠબંધનને કારણે સૌથી વધુ નુકસાન પહોંચ્યું હોવાનું ખુદ પક્ષના વડા ઉધ્ધવ ઠાકરેએ કહ્યું છે. મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં સત્તામાં સાથી પક્ષ એવા ભાજપ પર પોતાના પ્રહારો જારી રાખતાં ઉધ્ધવે કહ્યું કે, તેમની પાર્ટીને ગઠબંધનથી ૨૫ વર્ષમાં સૌથી વધુ નુકસાન થયું છે. તેમના માનવા પ્રમાણે પોતાની તાકાત પર તેઓ સત્તામાં આવી શક્યા હોત.

ઉલ્લેખનીય છે કે આ ગઠબંધન વર્ષ ૨૦૧૪માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણી પહેલા તૂટી ગયું હતું. તેમણે કહ્યું હતું કે ’25 વર્ષ કે ઓછામાં ઓછા બે પેઢીઓ સુધી આપણે એકબીજાને પકડી રહ્યા અને આગળ વધતા રહ્યા હતા. એ વખતે ગઠબંધન અમારી મજબૂરી રહી હશે. પરંતુ જો શિવસેના એકલી ચાલી હોત તો તસ્વીર અલગ રહી હોત.’ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં મંગળવારે ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે એક સમય હતો કે જ્યારે રાજ્યના તમામ મોટા નેતાઓ અને લોકો તત્કાલીન શિવસેના પ્રમુખ બાળ ઠાકરેની સાથે હતા, પરંતુ દુર્ભાગ્યવશ ૨૫ વર્ષોના ગઠબંધનમાં આપણને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે આ વિચારધારાનું એક ગઠબંધન હતું અને બાળ ઠાકરેએ ટૂંકાગાળાનો લાભ જોયા વગર જ આ ગઠબંધન કર્યું હતું. બાળ ઠાકરે ક્યારેય સત્તાના ભૂખ્યા રહ્યા ન હતા. તેઓ માત્ર હિન્દુ મત વહેંચવાથી રોકવાને લઇને ચિંતિત હતા. પરંતુ હવે ભાજપે ગઠબંધન તોડી નાખ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો