એપશહેર

બિહાર: ગંગા કિનારે 150થી વધુ લાશો મળતા ખળભળાટ, મૃતદેહો કોરોનાગ્રસ્ત હોવાની આશંકા

બિહારમાં ચૌસા ગંગા ઘાટ પર 150થી વધુ લાશો નદીમાં તરતા મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે

I am Gujarat 10 May 2021, 10:42 pm
બક્સરઃ જિલ્લાના ચૌસા ગંગા ઘાટ પર 150થી વધુ લાશો નદીમાં તરતા મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મોટી સંખ્યામાં મૃતદેહો મળ્યા બાદ વિસ્તારમાં મોટા રોગચાળાને લઈને લોકો ડરેલા છે. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોરોનાથી મોત બાદ લોકો મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરી રહ્યા નથી, પરંતુ જેમ-તેમ કરીને અંતિમ સંસ્કારના નામ પર ગંગામાં ફેંકી રહ્યા છે.
I am Gujarat dead body5

મ્યુકોરમાઇકોસિસના કારણે કાઢી નાખવા પડે છે કોરોના દર્દીઓના દાંત અને જડબાસ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે લાશોની સંખ્યા 150થી વધુ છે. લોકોનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં મૃતદેહો એક સાથે પાણીમાં રહેવાના કારણે દુર્ગંધ ઘણા ગામડાઓ સુધી ફેલાઈ રહી છે.

સ્થાનિક પવની ગામના રહેવાસી અનિલ કુમાર કુશવાહાએ જ્યારે તેની ફરિયાદ ચૌસા પ્રચંડના સર્કલ ઓફિસરને કરી તો તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક કર્મચારીઓને સાફ-સફાઈના નામે ફક્ત 500 રૂપિયા આપવાનું આશ્વાસન આપ્યું છે. જેના કારણે લોકોમાં નારાજગી વધી ગઈ છે.
ત્રીજો વેવ આવે ત્યાં સુધીનો જ સમય છે.. લટકતી ફાંદ ધરાવતા લોકોને ડૉક્ટર્સની વોર્નિગબક્સરના એસડીઓ કેકે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ લાશો પાંચથી સાત દિવસ જૂની છે અને આશંકા છે કે તે ઉત્તર પ્રદેશ તરફથી બિહાર આવી છે. તેમણે કહ્યું હતું કે, લાશોના નીકાલ માટે વહિવટી તંત્ર પોતાના તરફથી પૂરતી તૈયારીઓ કરી રહ્યું છે. આ અંગે ઉત્તર પ્રદેશ વહિવટી તંત્ર સાથે પણ વાતચીત કરવામાં આવશે.

Read Next Story