એપશહેર

માચિસ ઉધાર ન આપતા ગ્રાહકે દુકાનદારને મોતને ઘાટ ઉતાર્યો

Shailesh Thakkar | I am Gujarat 26 Jun 2019, 6:36 pm
પ્રતાપગઢ: ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં માચિસ ઉધાર ન આપતા એક દબંગે દુકાનદારને મારી-મારીને અધમરો કરી નાખ્યો. સારવાર દરમિયાન હોસ્પિટલમાં દુકાનદારનું મોત થઈ ગયું. ઘટનાથી ગુસ્સે ભરાયેલા પરિવારજનો મૃતદેહને ઘરે રાખી ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને બોલાવવા પર અડી ગયા છે. ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફ મોતી સિંહ પીડિતના ઘરે પહોંચી અંતિમ સંસ્કાર માટે મનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પ્રતાપે આરોપીઓની ધરપકડ અને તેમની માંગણીઓને પ્રશાસન સુધી પહોંચાડવાનું પણ આશ્વાસન આપ્યું છે પણ પીડિત પક્ષ હજુ પણ અંતિમ સંસ્કાર માટે રાજી થયો નથી. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો જિલ્લાના આસપુર દેવસરાના કાદીપુર કિલવાઈ ગામમાં અમર બહાદુર મૌર્ય કરિયાણાની દુકાન ચલાવતા હતા. ગામના જ દબંગ રાજા સિંહે માચિસ ઉધાર માગી જેને બહાદુરે આપવાની ના પાડી દીધી. આના કારણે રાજા સિંહે ગુસ્સામાં આવી ગાળો બોલવાનું શરૂ કરી દીધું. દુકાનદારે જ્યારે ગાળ આપવાની ના પાડી તો રાજા સિંહે તેને મારવા લાગ્યા. લોખંડના સળિયાથી અધમરો કરી દીધો ઉધારીમાં માચિસ ન મળવાથી નારાજ રાજા સિંહે લોખંડના સળિયાથી બહાદુરને પીટવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેના માથા અને શરીર પર ઘણી ગંભીર ઈજાઓ થઈ. બહાદુરને અધમરો જોઈ રાજા ત્યાંથી ફરાર થઈ ગયો. બહાદુરને પરિવારજનો પટ્ટી CHC લઈ ગયા જ્યાં તેની હાલત ગંભીર જોઈ ડૉક્ટરોએ પ્રયાગરાજ મેડિકલ કૉલેજને રિફર કરી દીધા. ત્યાં સારવાર દરમિયાન બહાદુરનું મોત થઈ ગયું. અંતિમ સંસ્કાર માટે રાજી નથી પરિવારજનો બીજી તરફ, SP એસ આનંદ ભારી પ્રશાસનિક અધિકારીઓ સાથે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ગયા હતા પણ પરિવારજનો આના માટે રાજી નથી. SPએ જણાવ્યું કે, આ મામલે કેસ નોંધી લેવામાં આવ્યો છે. SP અનુસાર આરોપીની ગિરફ્તારી માટે ચાર ટીમોને લગાવી દેવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો