એપશહેર

વૈષ્ણોદેવીની કરી શકાશે ઓનલાઈન પૂજા, 72 કલાકમાં તમારા ઘરે પહોંચી જશે પ્રસાદ

હવે માતાના ભક્તો તેમના લાઈવ દર્શન મોબાઇલ પર કરી શકશે ઓક્ટોબરમાં લોન્ચ થશે એપ્લિકેશન

I am Gujarat 28 Sep 2020, 5:00 pm
માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે ટૂંક સમયમાં બીજી સુવિધા શરૂ થવા જઈ રહી છે. હવે માતાના ભક્તો તેમના લાઈવ દર્શન મોબાઇલ પર કરી શકશે. આ માટે માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે તેના પર કામગીરી શરૂ કરી દીધી છે. એપ્લિકેશન ઓક્ટોબરમાં લોંચ થવાની તૈયારીમાં છે. તેના દ્વારા ભક્તોને માતાના દર્શન, આરતી અને હવનના લાઈવ દર્શન મળશે. આ અગાઉ શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે ભક્તોના નામે પૂજા બુકિંગ શરૂ કરી દીધી છે. લોકો બુકિંગ દ્વારા તેમના નામની પૂજા કરાવી શકે છે. બોર્ડ ભક્તોના ઘરે પ્રસાદ પણ મોકલશે.
I am Gujarat shri mata vaishno devi shrine board along with the postal department has started home delivery of prasad for devotees
વૈષ્ણોદેવીની કરી શકાશે ઓનલાઈન પૂજા, 72 કલાકમાં તમારા ઘરે પહોંચી જશે પ્રસાદ


કોરોના માહામારીને કારણે છેલ્લા છ મહિનાથી મંદિર બંધ છે. ત્યારબાદ ઓગસ્ટમાં એસઓપી હેઠળ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભક્તોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. પરંતુ કોરોનાને કારણે, ભક્તો અહીં પહોંચવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં બોર્ડ વતી પ્રસાદ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે પોસ્ટ વિભાગ સાથે ભક્તોને પ્રસાદની ઘરે ડિલિવરી શરૂ કરી છે. આ સુવિધા એવા લોકો માટે રજૂ કરવામાં આવી છે જેઓ હાલના સમયે યાત્રા કરી શકતા નથી. લોકો બોર્ડની વેબસાઇટ પર તેમના નામની પૂજા બુક કરાવી શકે છે. તેમના ઘરે 72 કલાકમાં પ્રસાદ પહોંચાડવા માટેની સુવિધા પણ કરવામાં આવી છે.

Read Next Story