એપશહેર

કર્ણાટકઃ પુત્ર ₹40 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ધારાસભ્યના ઘરેથી મળ્યા 6 કરોડ રુપિયા

Karnataka Latest News: કર્ણાટકમાં યોજાવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકમાં લોકાયુક્તની કાર્યવાહીમાં ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરમાંથી છ કરોડ રુપિયા કેશ મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં રકમ મળ્યા બાદ ભાજપના મોંઢા પર તાળુ લાગી ગયુ હતુ. તો સીએમ વસવરાજ બોમ્મઈનું કહેવું છે કે, આ મામલે તપાસ કરાવવામાં આવશે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 4 Mar 2023, 8:40 am

હાઈલાઈટ્સ:

  • કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ માટે સામે આવ્યા ખરાબ સમાચાર
  • લોકાયુક્તની કાર્યવાહીમાં ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી મળ્યા 6 કરોડ
  • સીએમ બસવરાજ બોમ્મઈનું કહેવું છે કે, આ મામલે તપાસ કરાવવામાં આવશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 6 cr found from MLA home
ધારાસભ્યના પુત્ર પાસેથી છ કરોડોની કેશ મળ્યા બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
બેંગાલુરુઃ કર્ણાટકમાં લોકાયુક્તના અધિરકારીઓએ ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્ફાના પુત્ર પ્રશાંત કુમારને 40 લાખ રુપિયાની લાંચ લેવાના આરોપમાં ઝડપી પાડ્યો છે. આ મામલે દરોડા પાડવામાં આવ્યા હતા અને ધારાસભ્યના પુત્રના ઘરેથી છ કરોડ રુપિયા કેશ મળ્યા હતા. ભાજપના ધારાસભ્યએ પુત્ર વિરુદ્ધ લોકાયુક્તની કાર્યવાહી બાદ કેએસડીએલના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. જો કે, તેમનો દાવો છે કે ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તેમના અને તેમના પરિવાર વિરુદ્ધ એક ષડયંત્ર છે. તો કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ આ મામલે નિષ્પક્ષ તપાસનો વાયદો કર્યો છે.
છ કરોડની કેશ મળી
બેંગાલુરુ વોટર સપ્લાય સીવરેજ બોર્ડના મુખ્ય અધિકારી પ્રશાંતને ગુરુવારે સાંજે કર્ણાટક સાબુ અને ડિટર્જન્ટ લિમિટેડ કાર્યાલયન એક કોન્ટ્રાક્ટર પાસેથી કથિત રીતે 40 લાખ રુપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ લોકાયુક્તના અધિકારીઓની એક ટીમે તેના ઘરે પણ દરોડા પાડ્યા હતા. જ્યાંથી છ કરોડ રુપિયાની કેશ મળી આવી હતી. લોકાયુક્તના સૂત્રોના જણાવ્યા મુજબ, દાવણગેરે જિલ્લાના ચન્નાગિરી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વિરુપક્ષપ્પા કેએસડીએલના અધ્યક્ષ છે અને પ્રશાંત કથિત રીતે પોતાના પિતા દ્વારા લાંચનું પહેલું ઈન્સ્ટોલમેન્ટત લઈ રહ્યો હતો.
લગ્નમાં કન્યાએ વરમાળા પહેરાવી અને થોડી જ ક્ષણોમાં વરરાજાનું હાર્ટ એટેકથી મોત
ધારાસભ્ય વિરુપક્ષપ્પાએ આપ્યુ રાજીનામું
વિરુપક્ષપ્પાએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. મુખ્યમંત્રીને મોકલવામાં આવેલા રાજીનામામાં તેઓએ કહ્યું છે કે, તેમની અને લોકાયુક્ત અધિકારીઓના દરોડા વચ્ચે કોઈ સંબંધ નથી. સાથે જ તેઓએ આ કાર્યવાહીને પોતાની અને પોતાના પરિવાર વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, મારા વિરુદ્ધ આરોપ લગાવવમાં આવ્યો છે અને હું નૈતિક જવાબદારી લઈ રહ્યો છું કે કેએસડીએલ અધ્યક્ષના પદથી પોતાનું રાજીનામુ આપી દઉં.
મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો લેટર બોમ્બઃ મારા બર્થડે પર કેજરીવાલ-જૈને ગાયુ હતુ, 'યે દોસ્તી નહીં તોડેંગે'
પ્રશાંતના ઘરેથી 6.1 કરોડ રુપિયા મળ્યા
કર્ણાટકના લોકાયુક્ત રિટાયર્ડ ન્યાયમૂર્તિ બીએસ પાટિલે શુક્રવારે કહ્યું કે, કેએસડીએલ કાર્યાલયમાંથી રુપિયા 2.02 કરોડ અને પ્રશાંતના ઘરેથી રુપિયા 6.1 કરોડ કબજે કરવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે,પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે. આ મામલે એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
Latest National News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story