એપશહેર

મોદી સરકારે સ્મૃતિને વધુ એક આંચકો આપ્યો

I am Gujarat 16 Jul 2016, 4:37 pm
નવી દિલ્હી: માનવ સંસાધન મંત્રી તરીકે પડતાં મૂકાયા બાદ હવે સ્મૃતિ ઈરાનીને કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટ અફેર્સ (CCPA)માંથી પણ પડતાં મૂકવામાં આવ્યાં છે. સ્મૃતિના સ્થાને માનવ સંસાધન મંત્રી બનેલા પ્રકાશ જાવડેકરને તેમાં સભ્ય બનાવાયા છે. લઘુમતી બાબતોના મંત્રી તરીકે રાજીનામું આપનારા નજમા હેપતુલ્લાહ પણ આ કમિટીમાંથી બહાર નીકળી ગયા છે. હાલમાં જ પીએમ મોદીએ પોતાની કેબિનેટમાં ફેરબદલ કર્યા હતા, જેમાં સ્મૃતિ ઈરાનીને માનવ સંસાધન જેવા મહત્વના ખાતામાંથી હટાવી કાપડ મંત્રી બનાવાયા હતા.
I am Gujarat smriti irani dropped from cabinet committee on parliamentary affairs
મોદી સરકારે સ્મૃતિને વધુ એક આંચકો આપ્યો


CCPAમાં જાવડેકર અગાઉ ખાસ આમંત્રિત સભ્ય હતા. જેમને હવે કાયમી સ્થાન અપાયું છે. જ્યારે, નવા કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદને તેમના પુરોગામી સદાનંદ દેવગૌડાના બદલે આ કમિટીમાં સ્થાન અપાયું છે. સંસદીય બાબતોના મંત્રી તરીકે પડતા મૂકાયેલા રાજીવ પ્રતાપ રુડીને પણ ખાસ આમંત્રિત તરીકે પડતા મૂકાયા છે અને તેમના બદલે તેમનું સ્થાન ગ્રહણ કરનારા એસ.એસ. આહલુવાલિયાનો સમાવેશ કરાયો છે. નવા કાયદા રાજ્ય મંત્રી પીપી ચૌધરીને આ કમિટીમાં ખાસ આમંત્રિત સભ્ય તરીકે સ્થાન અપાયું છે.

સીસીપીએની અધ્યક્ષતા કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહ કરે છે. આ કમિટીમાં કુલ 11 સભ્યો હોય છે, જેમાં ત્રણ ખાસ આમંત્રિત સભ્યોનો પણ સમાવેશ થાય છે. કમિટીનું કામ સંસદીય સત્રની તારીખો નક્કી કરી તેની ભલામણ કરવાનું હોય છે. કમિટીના અન્ય સભ્યોમાં સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ, પાસવાન અને અનંત કુમાર છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો