એપશહેર

જમીનની જંજાળમાંથી છુટકારો અપાવશે 'સોલર ટ્રી'

I am Gujarat 23 Jul 2016, 9:41 am
વિશ્વ મોહન, નવી દિલ્હી: સૌર ઉર્જા માટે ખુલ્લી જમીનનું હોવું સૌથી મોટો પડકાર છે, પરંતુ સીએસાઈઆર-દુર્ગાપુરે આ સમસ્યાનું નિરાકરણ શોધી લીધું છે. સંસ્થાએ એક ખાસ સોલર પાવર ટ્રી બનાવ્યું છે, જે ઘણી ઓછી જમીનનો ઉપયોગ કરશે અને ઉર્જાનું ઉત્પાદન કરશે.
I am Gujarat solar power grows on trees beats land hurdles
જમીનની જંજાળમાંથી છુટકારો અપાવશે 'સોલર ટ્રી'


આવા એક સોલર ટ્રીને યૂનિયન મિનીસ્ટર ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી હર્ષવર્ધનના સરકારી નિવાસ પર લૉન્ચ કરવામાં આવ્યું છે. આ સોલર ટ્રી 4 સ્ક્વેર ફુટ જમીન પર લાગે છે અને 5 કિલોવોટ ઉર્જાનું ઉત્પાદન કરે છે. જ્યારે પરંપરાગત સૌર ઉર્જા પ્લાન્ટમાં આટલી ઉર્જાનું ઉત્પાદન કરવા માટે 400 સ્ક્વેર ફુટ જમીનની જરુર પડે છે. મોટા શહેરોમાં જમીનની ઉપ્લબ્ધતા સૌર ઉર્જાના ઉપયોગ સામે મોટો પડકાર બની ગઈ છે.
‘Solar Power Tree ‘shall help India accomplish the dream of PM Modi to achieve 175 GW clean energy capacity by 2022. pic.twitter.com/NG95Xi0eDo— Dr. Harsh Vardhan (@drharshvardhan) July 22, 2016 સીએસાઈઆરના ડિરેક્ટર જનરલ ગિરીશ સાહનીનું કહેવું છે કે, આ એક એવું યંત્ર છે જેમાં સોલર સેલ્સને ખાર રીતે જોડવામાં આવ્યા છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જમીનની વધારે જરુર ના પડે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો