નવી દિલ્હીઃ કેન્દ્રમાં એનડીએ સરકાર બન્યા બાદ લોકસભામાં સરકારને સવાલો પૂછવામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌથી પાછળ છે. રાહુલ ગાંધીની સાથે સાથે પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ 16મી લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન અત્યાર સુધીમાં એક પણ સવાલ પૂછ્યો નથી. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ વર્તમાન લોકસભામાં ઘણા સવાલો પૂછ્યા છે. જ્યાં સુધી સરકાર પાસે જવાબ માગવાની વાત છે, તો સૌથી વધુ જવાબ ભૂતપૂર્વ માનવ સંસાધન વિકાસપ્રધાન સ્મૃતિ ઈરાની પાસે માગવામાં આવ્યા છે.
આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ‘અમે સતત સરકારની લોકવિરોધી નીતિઓની ટીકા કરી છે અને સકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છીએ. કોંગ્રેસના નેતાઓએ જે સવાલ કર્યા તે પાર્ટી તરફથી પુછાયેલા સવાલ છે. પાર્ટીએ જે સવાલ સરકારને પૂછ્યા તે રાહુલ ગાંધી તરફથી પૂછવામાં આવેલા જ સવાલ છે.’
મહારાષ્ટ્રના સાંસદો સવાલ પૂછવામાં આગળ સવાલ પૂછવાના મામલે મહારાષ્ટ્રના સાંસદો સૌથી આગળ છે. વેબસાઇટ Indiaspendએ લોકસભામાંથી મળેલા આંકડાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, અત્યાર સુધી સૌથી વધુ સવાલ પૂછનારા સાંસદોમાંથી નવ મહારાષ્ટ્રના છે. તેમાંથી મોટા ભાગના ભાજપના સાથી પક્ષ શિવ સેનાના છે. મહારાષ્ટ્રની બારામતી બેઠક પરથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નાં સાંસદ સુપ્રિયા સુલેએ સૌથી વધુ 568 સવાલ પૂછ્યા છે. ત્યાર બાદ ધનંજય ભીમરાવ મહાદિકે 557 સવાલ પૂછ્યા છે. મહાદિક મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી એનસીપી સાંસદ છે. ભાજપના યુવા નેતા વરુણ ગાંધીએ પણ વર્તમાન લોકસભામાં 254 સવાલ પૂછ્યા છે.
ખરગે અને ઓવૈસીએ પૂછ્યા ઘણા સવાલ કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્તમાન સંસદ સત્રમાં એક પણ સવાલ પૂછ્યો નથી. જોકે લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખરગેએ 128 સવાલ પૂછ્યા છે. સવાલ પૂછવામાં એઆઈએમઆઈએમના અસદઉદ્દીન ઓવૈસી પણ આગળ છે. તેમણે 448 સવાલ પૂછ્યા છે. 16મી લોકસભાનો કાર્યકાળ 2014માં 8મી મેએ શરૂ થયો હતો. છેલ્લાં બે વર્ષમાં સાંસદો આઠ સત્ર માટે એકત્રિત થયા હતા.
સ્મૃતિ પાસે માગવામાં આવ્યા સૌથી વધુ જવાબ સૌથી વધુ સવાલ ભૂતપૂર્વ માનવ સંસાધન વિકાસપ્રધાન સ્મૃતિ ઈરાનીને પૂછવામાં આવ્યા હતા. સ્મૃતિ માનવ સંસાધન વિકાસપ્રધાન હતાં ત્યારે તેમના મંત્રાલયે 2,271 સવાલોના જવાબ આપ્યા હતા. ત્યાર બાદ રેલવે (2,249), નાણાં મંત્રાલય (1,843) અને ગૃહ મંત્રાલય (1,784)નો નંબર આવે છે. 541 સભ્યોની લોકસભાના 460 સભ્યોએ ઓન ધ રેકોર્ડ સવાલ પૂછ્યા હતા. અત્યાર સુધી આઠ સત્રોમાં 34,497 સવાલના જવાબ આપવામાં આવ્યા છે.
આ સાંસદોએ પૂછ્યા સૌથી વધુ સવાલ
સુપ્રિયા સુલે- 568, એનસીપી
ધનંજય મહાદિક- 557, એનસીપી
શિવાજી પાટીલ- 554, શિવસેના
વિજયાશીષ પાટીલ- 531, એનસીપી
રાજીવ સાટવ- 519, એનસીપી
ધર્મેન્દ્ર યાદવ- 512, બીડીયુ
આનંદરાવ અદસુલ- 497, શિવસેના
ડો. હિના ગાવિત- 480, ભાજપ
રાહુલ શેવાલે- 474, શિવસેના
વિનાયક રાઉત- 470, શિવસેના
આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ‘અમે સતત સરકારની લોકવિરોધી નીતિઓની ટીકા કરી છે અને સકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છીએ. કોંગ્રેસના નેતાઓએ જે સવાલ કર્યા તે પાર્ટી તરફથી પુછાયેલા સવાલ છે. પાર્ટીએ જે સવાલ સરકારને પૂછ્યા તે રાહુલ ગાંધી તરફથી પૂછવામાં આવેલા જ સવાલ છે.’
મહારાષ્ટ્રના સાંસદો સવાલ પૂછવામાં આગળ સવાલ પૂછવાના મામલે મહારાષ્ટ્રના સાંસદો સૌથી આગળ છે. વેબસાઇટ Indiaspendએ લોકસભામાંથી મળેલા આંકડાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, અત્યાર સુધી સૌથી વધુ સવાલ પૂછનારા સાંસદોમાંથી નવ મહારાષ્ટ્રના છે. તેમાંથી મોટા ભાગના ભાજપના સાથી પક્ષ શિવ સેનાના છે. મહારાષ્ટ્રની બારામતી બેઠક પરથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નાં સાંસદ સુપ્રિયા સુલેએ સૌથી વધુ 568 સવાલ પૂછ્યા છે. ત્યાર બાદ ધનંજય ભીમરાવ મહાદિકે 557 સવાલ પૂછ્યા છે. મહાદિક મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી એનસીપી સાંસદ છે. ભાજપના યુવા નેતા વરુણ ગાંધીએ પણ વર્તમાન લોકસભામાં 254 સવાલ પૂછ્યા છે.
ખરગે અને ઓવૈસીએ પૂછ્યા ઘણા સવાલ કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્તમાન સંસદ સત્રમાં એક પણ સવાલ પૂછ્યો નથી. જોકે લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખરગેએ 128 સવાલ પૂછ્યા છે. સવાલ પૂછવામાં એઆઈએમઆઈએમના અસદઉદ્દીન ઓવૈસી પણ આગળ છે. તેમણે 448 સવાલ પૂછ્યા છે. 16મી લોકસભાનો કાર્યકાળ 2014માં 8મી મેએ શરૂ થયો હતો. છેલ્લાં બે વર્ષમાં સાંસદો આઠ સત્ર માટે એકત્રિત થયા હતા.
સ્મૃતિ પાસે માગવામાં આવ્યા સૌથી વધુ જવાબ સૌથી વધુ સવાલ ભૂતપૂર્વ માનવ સંસાધન વિકાસપ્રધાન સ્મૃતિ ઈરાનીને પૂછવામાં આવ્યા હતા. સ્મૃતિ માનવ સંસાધન વિકાસપ્રધાન હતાં ત્યારે તેમના મંત્રાલયે 2,271 સવાલોના જવાબ આપ્યા હતા. ત્યાર બાદ રેલવે (2,249), નાણાં મંત્રાલય (1,843) અને ગૃહ મંત્રાલય (1,784)નો નંબર આવે છે. 541 સભ્યોની લોકસભાના 460 સભ્યોએ ઓન ધ રેકોર્ડ સવાલ પૂછ્યા હતા. અત્યાર સુધી આઠ સત્રોમાં 34,497 સવાલના જવાબ આપવામાં આવ્યા છે.
આ સાંસદોએ પૂછ્યા સૌથી વધુ સવાલ
સુપ્રિયા સુલે- 568, એનસીપી
ધનંજય મહાદિક- 557, એનસીપી
શિવાજી પાટીલ- 554, શિવસેના
વિજયાશીષ પાટીલ- 531, એનસીપી
રાજીવ સાટવ- 519, એનસીપી
ધર્મેન્દ્ર યાદવ- 512, બીડીયુ
આનંદરાવ અદસુલ- 497, શિવસેના
ડો. હિના ગાવિત- 480, ભાજપ
રાહુલ શેવાલે- 474, શિવસેના
વિનાયક રાઉત- 470, શિવસેના