એપશહેર

બાબરી ઘ્વંસ અગાઉથી આયોજીત ના હોવાનું કહી કોર્ટે તમામ 32 આરોપીઓને મુક્ત કર્યા

6 ડિસેમ્બર 1992એ અયોધ્યામાં વિવાદિત ભાગ તોડી પાડવાની ઘટના બની, ભાજપના સિનિયર નેતા હતા આરોપી

I am Gujarat 30 Sep 2020, 1:01 pm
લખનૌ: દેશના રાજકારણમાં સૌથી મોટો વળાંક સાબિત થયેલા બાબરી ધ્વંસ્ત કેસનો ચુકાદો આજે આવી ગયો છે. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિતના તમામ આરોપીઓને મુક્ત કરતા જણાવ્યું છે કે આ ઘટના અગાઉથી આયોજીત નહોતી.
I am Gujarat special cbi court will give verdict on babri demolition case high alert in ayodhya
બાબરી ઘ્વંસ અગાઉથી આયોજીત ના હોવાનું કહી કોર્ટે તમામ 32 આરોપીઓને મુક્ત કર્યા


બાબરી ધ્વંસ કેસના 26 આરોપીઓ કોર્ટમાં હાજર થઈ ગયા હતા. જજ પણ કોર્ટરુમમાં આવી ગયા હતા, અને 26 વર્ષ જૂના આ કેસનો ફેસલો સંભળાવ્યો હતો. આરોપીઓમાં ભાજપના પીઢ નેતાઓ એલકે અડવાણી, મુરલીમનોહર જોષી તેમજ ઉમા ભારતીના નામ પણ સામેલ હતા. કોર્ટ બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. વાહનોની અવરજવર રોકી દેવાઈ હતી, અને નેતાઓના સમર્થકોને પણ અટકાવાઈ રહ્યા હતા.


1992માં તોડી પડાઈ હતી બાબરી


લખનૌ સ્થિત CBIની સ્પેશિયલ કોર્ટમાં 6 ડિસેમ્બર 1992માં તોડી પડાયેલા વિવિદિત ભાગને લઈને આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ મામલે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા મોટા નેતા આરોપી હતા. એવામાં હાઈ પ્રોફાઈલ મામલાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને લખનૌમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. CBI કોર્ટે આદેશ જારી કર્યા છે કે તમામ આરોપીઓએ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટ તરફથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ મોકલવામાં આવી હતી.


1 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ગઈ હતી સુનાવણી

બાબરી ધ્વંશ કેસમાં વિશેષ CBI કોર્ટે તમામ પક્ષોની દલીલો, ગવાહ સાંભળ્યા બાદ 1 સપ્ટેમ્બરથી ચુકાદો લખવાનું શરુ કર્યું હતું. જેમાં પહેલા વરિષ્ઠ વકીલ મૃદલ રાકેશ, આઈબી સિંહ અને મહિપાલ અહલુવાલિયાએ આરોપીઓ તરફથી દલીલો રજૂ કરી, જે બાદ સીબીઆઈના વકીલો લલિત સિંહ, આરકે યાદવ અને પી. ચક્રવર્તીએ પણ પોતાની દલીલો રજૂ કરી.

અડવાણી જોશી સહિત કુલ 32 લોકો આરોપી

બન્ને પક્ષો તરફથી દલીલો વિશેષ જજ એસ કે યાદવે જણાવ્યું હતું કે તેઓ 2 સપ્ટેમ્બરે ચૂકાદો લખવાનું શરુ કરશે. દાયકા જૂના નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી, પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, સાક્ષી મહારાજ, સાધ્વી રિતંભરા, વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય સહિત 32 આરોપી હતાં.

351 સાક્ષી રજૂ કરાયા

CBI દ્વારા આ કેસમાં આરોપીઓ સામે 351 ગવાહ અને લગભગ 600 દસ્તાવેજ રજૂ કર્યા છે. જેમાં કોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે નિર્ધારિત સમયમાં આ મહિનાના અંતમાં ચુકાદો સંભળાવવાનો છે. નોંધનીય છે કે અયોધ્યામાં વિવિદિત ભાગને કાર સેવકોએ 6 ડિસેમ્બર 1992માં તોડી પાડ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ

આપને જણાવી દઈએ કે બાબરી ધ્વંશ કેસમાં સુપ્રીમ કોર્ટે સંબંધિત ચુકાદો 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, વિશેષ કોર્ટે સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં એક મહિનાનો વધુ સમય થઈ ગયો.

થઈ શકે છે 5 વર્ષની જેલની સજા

જો એલકે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા, મહંત નૃત્યગોપાલ દાસ, ચંપત રાય બંસલ, રામ વિલાસ વેદાંત, ધરમદાસ અને ડૉ સતીશ પ્રધાન દોષી ઠરે છે તો તેમને વધારે 5 વર્ષની જેલની સજાનો સામનો કરવો પડી શકે છે.

Read Next Story