એપશહેર

બે મહિનામાં 12 શો રદ, સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારુકીએ વ્યક્ત કર્યું પોતાનું દુઃખ

બેંગલુરુ પોલીસે હિંદુ સંગઠનોના પ્રદર્શન વચ્ચે રવિવારે શહેરમાં મુનવ્વર ફારુકીના સ્ટેન્ડ-અપ કોમેડીના કાર્યક્રમને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો.

I am Gujarat 28 Nov 2021, 6:34 pm

હાઈલાઈટ્સ:

  • સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારુકીનો રવિવારે બેંગલુરુમાં આયોજિત કાર્યક્રમને પોલીસે મંજૂરી ન આપી.
  • ફારુકી પર આ વર્ષે જાન્યુઆરીમાં ઈન્દોરમાં એક કાર્યક્રમમાં હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી.
  • ઈન્દોરના કાર્યક્રમ બાદથી હિંદુ સંગઠનો મુનવ્વર ફારુકીનો સતત વિરોધ કરી રહ્યા છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Munawar Faruqui
ઈંદોર/બેંગલુરુ: બેંગલુરુ પોલીસે હિંદુ સંગઠનોના પ્રદર્શન વચ્ચે રવિવારે શહેરમાં મુનવ્વર ફારુકીના સ્ટેન્ડ-અપ કોમેડીના કાર્યક્રમને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો. હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે, ફારુકીએ પોતાના એક કાર્યક્રમમાં હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. કાર્યક્રમની મંજૂરી ન મળ્યા પછી ફારુકીએ એક સ્ટેટમેન્ટ બહાર પાડી કહ્યું કે, તે હવે કોઈ કાર્યક્રમ નહીં કરે.
ફારુકી પર આ વર્ષે જાન્યુઆરીમાં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં હિંદુ દેવી-દેવતાઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણીઓ કરવાનો આરોપ લાગ્યો હતો. તે પછી ઈન્દોર પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. એક મહિનો જેલમાં રહ્યા પછી તેને જામીન મળ્યા હતા. ફારુકી પર પહેલા પણ હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લાગી ચૂક્યો છે.
Omicronનો ડર: વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, ન્યૂયોર્કમાં કટોકટી જાહેર કરવામાં આવી
બેંગુલુરુ પોલીસે એક સીનિયર અધિકારીને જણાવ્યું કે, 'હા, અમે મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. તે રવિવારે કોઈ પણ જાહેર કાર્યક્રમ નહીં કરે.'

ફારુકીએ સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, 'આયોજન સ્થળ પર તોડફોડની ધમકીઓ'ને પગલે બેંગલુરુમાં તેના કાર્યક્રમને રવિવારે રદ કરી દેવાયો છે. તેણે જણાવ્યું કે, આ કાર્યક્રમ માટે 600થી વધુ ટિકિટ વેચાઈ ગઈ હતી. સ્ટેન્ડ-અપ કોમેડિયને કહ્યું કે, 'મારું નામ મુનવ્વર ફારુકી છે. અને મારો સમય આવી ગયો છે, તમે લોકો શાનદાર દર્શક હતા. આવજો. મેં છોડી દીધું છે.' તેણે જણાવ્યું કે, છેલ્લા બે મહિનામાં તમને મળેલી ધમકીઓને પગલે પોતાના 12 શો કેન્સલ કરવા પડ્યા. તેમના પર હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાડવાનો આરોપ લાગ્યો છે, જ્યારે કે તેણે એવું કંઈ નથી કર્યું. તેણે છેલ્લે લખ્યું કે- નફરત જીતી ગઈ, આર્ટિસ્ટ હારી ગયો.
ઠંડીનું જોર વધવાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં માવઠાની વકી
બેંગલુરુમાં થનારા આ કાર્યક્રમમાંથી મળનારી રકમ દિવંગત કન્નડ અભિનેતા પુનીત રાજકુમારના ચેરિટેબલ સંગઠનને દાન કરવાની હતી. ફારુકીને મોહમ્મદ જીશાન અયુબ અને સ્વરા ભાસ્કર જેવા કલાકારોનું સમર્થન મળ્યું છે. અયુબે હાસ્ય કલાકારને આશા ન છોડવા અનુરોધ કર્યો. સ્વરાએ ઘટનાક્રમને 'દિલ તોડનારો અને શરમજનક' જણાવ્યો. ફારુકી રવિવારે સાંજે 'ડોંગરી ટુ નોવ્હેયર' કાર્યક્રમ રજૂ કરવાનો હતો. નવી દિલ્હીના કર્ટેન્સ કોલ્સ ઈવેન્ટના વિશાલ ધુરિયા અને સિદ્ધાર્થ દાસે બેંગલુરુમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

શ્રીરામ સેના અને હિંદુ જનજાગૃતિ સમિતિ સહિત વિવિધ હિંદુ સંગઠનોએ મુનવ્વર ફારુકી સામે બેંગલુરુને પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. તેમણે હાસ્ય કલાકાર પર હિંદુ દેવી-દેવતાઓનું કથિત રીતે અપમાન કરી હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો