એપશહેર

ઇદના દિવસે કશ્મીરના કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો, મારામારી

I am Gujarat 6 Jul 2016, 9:10 pm
શ્રીનગર કશ્મીરમાં કેટલાક વિસ્તારોમાં ઇદના તહેવારની ઉજવણી પથ્થરમારો અને મારામારીની ઘટનાથી ફીક્કી પડી ગઇ છે. અલગ અલગ જગ્યાએ થયેલા પથ્થરમારામાં 30 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં એક ઉચ્ચ પોલીસ અધિકારી અને 20 અન્ય સુરક્ષાકર્મીનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું છે કે આ ઘટના નમાઝ પછી શ્રીનગરની ઇદગાહ પાસે રહેલા સફાકાદલ અને શહેર બહારના ક્ષેત્ર હૈદરપુરામાં થઇ હતી.
I am Gujarat stone pelting clashes in parts of kashmir on eid
ઇદના દિવસે કશ્મીરના કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો, મારામારી


એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે અનંતનાગ જિલ્લા અને ઉતર કશ્મિરના બારામુલા જિલ્લાના સોપોર નગરના વિસ્તારોમાં પણ નમાઝ બાદ હુલ્લડ થયા હતા. અનંતનાગ જિલ્લાના જંગલાત મંડીમાં પથ્થરમારા દરમિયાન પોલિસ અધીક્ષક મુબાશિખ બુખારીને પેટમાં પથ્થર લાગતા ઇજાગ્રસ્ત થયા છે.

સુરક્ષાબળોએ ભીડને વિખેરવા માટે રબની ગોળીઓ પણ છોડી અને ટીયરગેસના શેલ છોડી પરિસ્થિતી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.પોલીસની આ કાર્યવાહીમાં 10 થી વધુ લોકોને ઇજા પહોંચી છે. ઘટના બન્યા પછી ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા ઉપર ફોટા વાઇરલ થયા હતા જેમાં સુરક્ષા બળ ખાનગી વાહનોની તોડફોટ કરી રહ્યા હોય તેવું દેખાડવામાં આવ્યું છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અન્ય વિસ્તારોમાં પરિસ્થિતી સામાન્ય છે. સરકારે સૈયદ અલી ગિલાની, મીરવાઇઝ ઉમર ફારૂક અને મોહમ્મદ યાસીન મલિક સહિતના મુખ્ય અલગાવાદીનેતાઓને નજર કેદ કરવમાં આવ્યા છે કેમ કે ઇદના તહેવાર દરમિયાન તેની ઉપસ્થિતીથી પરિસ્થિતી વધુ વણસી શકે તેવી પોલીસને આશંકા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો