એપશહેર

ફ્રાંસમાં નોકરીને ઠોકર મારી યુવક ગામડે પરત ફર્યો, બંજર જમીનને હરિયાળીથી ભરી દીધી, હવે બદલાઈ ગયુ ગામનું નસીબ

ફ્રાંસમાં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ ત્યાં જ મોટા વેતનની ઓફર થઈ હતી, જોકે નીરજે આ જોબને નકારી દીધી,જે અનેક લોકો માટે ડ્રીમ જોબ છે. ત્યારબાદ તે પોતાના ગામમાં પરત ફર્યાં અને હવે તે અહીં ખેતી કરી રહ્યો છે. ખેતીને પોતાની કરિયર તરીકે ઉપરાંત ગામના દસ લોકોને રોજગારી પણ આપી રહ્યો છે.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 27 Dec 2022, 9:22 pm

હાઈલાઈટ્સ:

  • આવશ્યક માહિતી સાથે જૈવિક ખેતી કરવા સૌને પ્રોત્સાહન આપે છે
  • પોતાની કરિયર તરીકે ઉપરાંત ગામના દસ લોકોને રોજગારી પણ આપી રહ્યો છે
  • રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ જૈવિક ખેતીમાં તેમના પ્રયાસોની પ્રશંસા કરી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat JOB
એક બાજુ જ્યાં લાખો યુવાનો તેમનો અભ્યાસ પૂરો કરી વિદેશમાં નોકરી (job)ની શોધમાં જાય છે, જેથી તેનું જીવન સેટલ થઈ જાય. બીજી બાજુ એવા પણ યુવકો છે કે જે વિદેશમાં સારી રીતે સેટ થઈ ગયા હોવા છતાં નોકરી છોડીને ખેતી માટે પોતાના ગામમાં પરત ફરત ફરે છે. દેવભૂમિ ઉત્તરાખંડ (Uttarakhand) ના ચંપાવત જિલ્લાનું એક નાનું એવું ગામ કરૌલીનો રહેવાસી નિરજ જોષી (Niraj Joshi) પણ આવો જ એક જુનૂની યુવક છે.
ફ્રાંસ (France)માં મળેલી નોકરીને નકારી દીધી.
અભ્યાસ બાદ ફ્રાંસમાં મળેલા સારા પેકેજને નકારી દીધુ
તેમણે ફ્રાંસમાં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ ત્યાં જ મોટા વેતનની ઓફર થઈ હતી, જોકે નીરજે આ જોબને નકારી દીધી,જે અનેક લોકો માટે ડ્રીમ જોબ છે. ત્યારબાદ તે પોતાના ગામમાં પરત ફર્યાં અને હવે તે અહીં ખેતી કરી રહ્યો છે. તેણે ખેતીને પોતાની કરિયર તરીકે ઉપરાંત ગામના દસ લોકોને રોજગારી પણ આપી રહ્યો છે. આ સાથે જ નીરજે હવે હોમ સ્ટે બનાવી એગ્રો ટુરિઝમનો પાયો નાંખ્યો.

બંજર જમીનને હરિયાળીથી ભરી દીધી
નીરજે પોતાની મહેનતથી વર્ષોથી બંજર પડેલી પોતાના વડવાઓની જમીનને ફરીથી હરિયાળીથી ભરી દીધી. તેમણે પોતાના ખેતરની ચારેય બાજુ અને 500થી વધારે ઔષધિય અને ફળદાર છોડ લગાવ્યા છે. તે ગામમાં લોકોને આવશ્યક માહિતી આપીને જૈવિક ખેતી કરવા સૌને પ્રોત્સાહન આપે છે. નીરજની મહેનત એટલી સફળ થઈ કે આજે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ જૈવિક ખેતીમાં તેમના પ્રયાસોની પ્રશંસા કરી રહ્યા છે.


પ્રાથમિક શિક્ષણ ગામડે મેળવ્યું હતું
નીરજની પૃષ્ઠભૂમિની વાત કરીએ પોતાના ગામ અને રુદ્રપુર જવાહર નવોદય વિદ્યાલયથી પોતાની પ્રાથમિક શિક્ષણ મેળવનાર નીરજ જોશીએ નૈનીતાલથી બી.એસસી અને પંતનગર કૃષિ યુનિવર્સિટીથી M.scનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે ફ્રાંસમાં એગ્રોડિઝાઈનનો અભ્યાસ કરવા ગયો હતો.

Read Next Story