આપણે જાણીએ જ છીએ કે UPSCની પરીક્ષા પાસ કરવી અઘરી છે, તેના માટે રાત-દિવસ મહેનત કરવી પડે છે. જે કોઈ લોકો UPSCની પરીક્ષા પાસ કરે તેની પાછળ કોઈને કોઈ રસપ્રદ વાર્તા રહેલી હોય છે કે જેના કારણે વ્યક્તિ સફળતાના શિખર સુધી પહોંચે છે. આવી જ એક પ્રેરણાદાયક સ્ટોરી વર્ષ 2005ની બેચના મહારાષ્ટ્ર કેડરના IPS ઑફિસર મનોજ શર્માની છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો મધ્યપ્રદેશના એક નાનકડા જિલ્લામાં જન્મેલા મનોજ શર્મા શાળાકીય દિવસો દરમિયાન એક સામાન્ય વિદ્યાર્થી હતા. તેઓ ધોરણ 12માં નપાસ થયા હતા, તેઓનું આયોજન એવું હતું કે ધોરણ 12માં જેમ-તેમ કરીને પાસ થયા બાદ ટાઈપિંગ શીખીને ક્યાંક નોકરી શરૂ કરવી. ધોરણ 12મા નપાસ થયા બાદ મનોજ શર્મા તેમના ભાઈ સાથે ટેમ્પો ચલાવતા હતા. પણ, આ દરમિયાન તેમણે એક ઉચ્ચ અધિકારીની કામગીરી જોઈ અને નક્કી કર્યું કે હવે હું અભ્યાસમાં મહેનત કરીશ. તેમના ઘરમાં આર્થિક તંગી હતી માટે તેમણે પૈસા માટે અનેક નાની-મોટી જગ્યાઓએ પટાવાળાનું કામ કર્યું. ફરી વખત અભ્યાસ શરૂ કર્યો અને દિલ્હી આવીને સંઘર્ષ કરવા લાગ્યા. અહીં દિલ્હીમાં તેઓને મોટા ઘરમાં પાળેલા કૂતરાને બહાર ફરવા લઈ જવા માટેનું કામ મળ્યું. પૈસા કમાવવા માટે આ કામ પણ કર્યું. મનોજ શર્મા જે છોકરીના પ્રેમમાં હતા તેને કહ્યું કે જો તું મને હા પાડીશ અને સહયોગ આપીશ તો હું દુનિયા બદલી નાખીશ. મનોશ શર્માએ ચોથા પ્રયાસમાં UPSCની પરીક્ષા 121મા રેન્કની સાથે પાસ કરી અને IPS ઑફિસર બન્યા. એક સમયે ધોરણ 12મા નપાસ થયેલા મનોજ શર્માએ ગ્વાલિયરથી પોસ્ટ-ગ્રેજ્યુએશન કર્યા બાદ હવે પીએચડી પણ પૂર્ણ કર્યું. IPS ઑફિસર મનોજ શર્માના સંઘર્ષ આધારિત પુસ્તક પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર કેડરથી IPS ઑફિસર બનેલા મનોજ શર્મા મુંબઈમાં એડિશનલ કમિશ્નર ઓફ વેસ્ટ રીજનનું પદ સંભાળી રહ્યા છે.
ધોરણ 12મા નપાસ થવાના કારણે છોડ્યું હતું ભણવાનું, મહેનત કરીને બન્યા IPS ઑફિસર
I am Gujarat 18 Oct 2019, 4:25 pm