એપશહેર

મોદી સરકારને ઝટકો, NDAમાંથી અલગ થયું શિરોમણી અકાલી દળ

આજે મોડી સાંજે અકાલી દળની કોર કમિટીએ NDA સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો. જ્યારથી નવા કૃષિ બિલની વાત શરૂ થઈ છે ત્યારથી પંજાબ અને હરિયાણામાં ખેડૂતોનો ભારે વિરોધ ચાલી રહ્યો હતો.

I am Gujarat 27 Sep 2020, 12:05 am
ચંદીગઢ: કૃષિ બિલના મુદ્દે શિરોમણી અકાલી દળ તરફથી સતત કેન્દ્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે, શિરોમણી અકાલી દળ (SAD)ના નેતા સુખબીર સિંહે શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં તે વાત સ્પષ્ટ કરી કે હવે તેમની પાર્ટી રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)નો ભાગ નથી. સુખબીર સિંહ બાદલે કહ્યું કે આ નિર્ણય પાર્ટીના ઘણાં સભ્યો તરફથી લેવામાં આવ્યો છે. પંજાબના અમૃતસરમાં ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ તરફથી રેલ રોકો અભિયાન ચાલુ છે. કૃષિ બિલ વિરુદ્ધ આ પ્રદર્શન ચાલી રહ્યું છે.
I am Gujarat q10


આજે મોડી સાંજે અકાલી દળની કોર કમિટીએ NDA સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા કૃષિ બિલની વાત શરૂ થઈ છે ત્યારથી પંજાબ અને હરિયાણામાં ખેડૂતોનો ભારે વિરોધ ચાલી રહ્યો હતો. જો કે આ બિલ સંસદમાં પાસ થયા બાદ અકાલી દળના સાંસદ અને મંત્રી હરસિમરત કૌરે મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે હું આવી સરકારનો ભાગ હોઈ શકું નહીં.

આ નિર્ણય પહેલા સુખબીરસિંહ બાદલે શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતું. સુખબીરસિંહ બાદલે કહ્યું હતું કે, 'બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનને અણુ બોમ્બથી હલાવી દીધું હતું. અકાલી દળના એક બોમ્બે (હરસિમરત કૌર બાદલનું રાજીનામું) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હચમચાવી દીધા છે. બે મહિનાથી કોઈપણ ખેડૂતો પર એક પણ શબ્દ બોલતું નહોતું, પરંતુ હવે 5-5 મંત્રી તેના પર બોલી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો