એપશહેર

દેશમાં શાંતિ-સૌહાર્દ હિન્દુઓ જ બગાડે છે મુસ્લિમો નહીંઃ રાજીવ ધવન

Tejas Jinger | I am Gujarat 28 Nov 2019, 10:04 am
નવી દિલ્હીઃ અયોધ્યા કેસ સાથે સંકળાયેલા જાણીતા વ્યક્તિ અને મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને કરેલા એક નિવેદનની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેમણે કરેલા નિવેદનની આકરી નિંદાઓ પણ થઈ રહી છે. જોકે, રાજીવન ધવે પોતાના બચાવમાં કહ્યું છે કે તેના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: રાજીવ ધવને કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “દેશમાં શાંતિ-સૌહાર્દ હિન્દુઓ બગાડી રહ્યા છે, મુસ્લિમ નહીં” આટલું જ નહીં ચુકાદા અંગે તેમણે કહ્યું કે મુસ્લિમો સાથે અન્યાય થયો છે.
નિવેદનની નિંદા બાદ કરી આ વાતપોતાના નિવેદનની નિંદા થયા બાદ રાજીવ ધવને કહ્યું કે તેમણે જે કહ્યું છે તેને વિચિત્ર રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “આ ટીવી દ્વારા કરવામાં આવેલી મજાક છે. હું જ્યારે હિન્દુઓની વાત કરું છું તો એનો મતલબ એવો નથી કે હું તમામ હિન્દુઓની વાત કરું છું”અજીત પવાર આજે શપથ નહીં લે, અટકળો તેજધવને આગળ આરએસએસ પર નિશાન તાકીને કહ્યું, “જ્યારે બાબરી મસ્જિદ મામલે હિન્દુ શબ્દનો ઉપયોગ થાય છે તેનો મતલબ સંઘ પરિવાર થાય છે. મેં કોર્ટમાં કહ્યું હતું કે જેમણે બાબરી મસ્જિદ તોડી તેઓ હિન્દુ તાલિબાન છે. હું સંઘ પરિવારના વર્ગોની વાત કરું છું જે હિંસા અને લિંચિંગ જેવી બાબતોને સમર્પિત છે.”જણાવી દઈએ કે રાજીવ ધવનની અયોધ્યા મામલે સુનાવણી દરમિયાન નિંદા થઈ હતી જ્યારે તેમણે હિન્દુ પક્ષ તરફથી રજૂ કરાયેલો પિક્ટોરિયલ મેપ ફાડી નાખ્યો હતો. અયોધ્યા વિવાદની વિગતવાર માહિતી

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો