એપશહેર

જ્ઞાનવાપી મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે જિલ્લા કોર્ટને ચુકાદો આપવાનો નિર્દેશ કર્યો

Gyanvapi Case Supreme Court Verdict: જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્દેશ આપ્યો છે. તેમણે જિલ્લા અદાલતને આ મામલે ચુકાદો સંભળાવવા જણાવ્યું છે. એટલે કે પહેલા આ કેસમાં જિલ્લા કોર્ટ પોતાનો ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે તેને ટાઈટલ સૂટનો કેસ ગણવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે સ્વીકાર્યું છે કે આ મામલો પૂજાના અધિકાર સાથે સંબંધિત છે.

Edited byદીપક ભાટી | Navbharat Times 17 May 2022, 5:55 pm
નવી દિલ્હી: મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં દેશની સર્વોચ્ચ અદાલતે જિલ્લા અદાલતને ચુકાદો આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસ ટાઇટલ સૂટનો નથી. જો કે, તે પૂજાના અધિકાર સાથે સંકળાયેલું છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણીની તારીખ 19 મે નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નમાજ પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. સાથે જ તેમણે શિવલિંગ મળી આવ્યું છે તે જગ્યાને સુરક્ષિત રાખવાનું જણાવ્યું છે.
I am Gujarat Gyanvapi Case
ફાઈલ તસવીર


નીચલી કોર્ટ જ આપશે ચુકાદો
જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણા મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. તેમાં સૌથી મહત્વની વાત કહેવામાં આવી છે કે જે જગ્યાએ શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવ્યો છે, તે જગ્યાને ડીએમ દ્વારા સુરક્ષિત કરવામાં આવે. પરંતુ, મુસ્લિમોને મસ્જિદમાં નમાજ પઢવાથી રોકવું જોઈએ નહીં. આ રીતે કોર્ટે મુસ્લિમોને નમાજની પરવાનગી સાથે શિવલિંગની જગ્યાની જાળવણી અને સંરક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.

આગામી દિવસોમાં થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટે ડીએમ વારાણસીને તે જગ્યા સીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો જ્યાં શિવલિંગ મળી આવ્યું હતું. તેમજ વઝુખાનામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો અને કહ્યું કે તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. પ્રાર્થના માટે માત્ર 20 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે આ મામલે નોટિસ જારી કરી શકે છે. સુનાવણીની આગામી તારીખ સુધી આ નિર્દેશ જારી કરવામાં આવી શકે છે. આમાં વારાણસીના ડીએમ એ સુનિશ્ચિત કરશે કે શિવલિંગ વિસ્તારની સુરક્ષા કરવામાં આવશે. પરંતુ, તે નમાજ માટે મસ્જિદમાં મુસ્લિમોના પ્રવેશમાં અવરોધ બનશે નહીં.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story