એપશહેર

પ્રવાસી મજૂરો મામલે કેન્દ્ર સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કહ્યું- આવા વલણને માફ ના કરી શકાય

SC to Modi Govt: પ્રવાસી મજૂરોને સરકારે કરેલી હજારો કરોડોની જાહેરાતથી લાભ મળે તે માટે લાલ આંખ કરી છે

I am Gujarat 29 Jun 2021, 3:55 pm

હાઈલાઈટ્સ:

  • સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોના ડેટા મેળવવામાં જે મોડું થઈ રહ્યું છે બાબતે લાલ આંખ કરી
  • કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢીને સુપ્રીમ કોર્ટે કહ્યું- હવે વધારે થઈ રહ્યું છે આ માફ ના કરી શકાય
  • પ્રવાસી મજૂરોને કોવિડ પરિસ્થિતિમાં જાહેરાતોનો ફાયદો થાય તે માટે કોર્ટે ઉતાવળ કરવા કહ્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat supreme court directs modi govt to develop migrant workers registration portal
પ્રવાસી મજૂરો મામલે કેન્દ્ર સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કહ્યું- આવા વલણને માફ ના કરી શકાય
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે પોતાના મહત્વના આદેશમાં કહ્યું છે કે દેશભરમાં તમામ રાજ્ય વન નેશન વન રાશન કાર્ડની સ્કીમ 31 જૂલાઈ સુધી લાગુ કરે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને કહ્યું કે જ્યાં સુધી કોવિડ મહામારીની સ્થિતિ બનેલી છે ત્યાં સુધી તેઓ કમ્યુનિટી કિચન ચલાવે અને પ્રવાસી મજૂરોને કરિયાણું પૂરું પાડે. આ દરમિયાન મજૂરોના ડેટા તૈયાર કરવામાં મોડું થઈ રહ્યું છે તેના પર કોર્ટે કેન્દ્ર સામે લાલ આંખ કરી છે.

પ્રવાસી મજૂરોના મામલે સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકાર સામે લાલ આંખ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી પ્રવાસી મજૂરોનો ડેટા તૈયાર કરવામાં મોડું થઈ રહ્યું છે અને બેદરાકારી દાખવમાં આવી રહ્યું છે તે વલણને માફ ના કરી શકાય. પોર્ટલમાં કેન્દ્ર તરફથી જે મોડું થઈ રહ્યું છે તે દર્શાવે છે કે પ્રવાસી મજૂરો પ્રત્યે કોઈ ચિંતા નથી.

J&K: SPOની હત્યામાં સંડોવાયેલા હતા જૈશ-એ-મોહમ્મદના આતંકી, IGPએ કહ્યું- જલદી ઠાર કરીશું
સુપ્રીમ કોર્ટે પાછલી સુનાવણીમાં કહ્યું હતું કે પ્રવાસી મજૂરોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઘણી ધીમી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા નિશ્ચિત રીતે ઝડપી કરવી જેથી કોવિડની સ્થિતિમાં પ્રવાસી મજૂરોને બેનિફિટવાળી યોજનાઓનો લાભ મળી શકે. કોર્ટે કહ્યું કે પ્રવાસી મજૂરો અને બિનસંગઠીત ક્ષેત્રોના મજૂરોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે.

ભારતમાં કોરોનાના દૈનિક કેસ ઘટીને 40 હજારની અંદર પહોંચ્યા, મૃત્યુઆંક 1000થી નીચો
આ પહેલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, સરકાર કહી રહી છે કે હજારો કરોડોની ફાળવણી કરી છે. પરંતુ મુદ્દો એ છે કે શું ખરા લાભાર્થિઓ સુધી તે પહોંચી છે? એવામાં તમારે (સરકાર) આ સંપૂર્ણ પ્રક્રિયાને મોનિટરિંગ કરવું પડે. કોર્ટ એ વાતને લઈને ચિંતિત છે કે સંબંધિત લાભાર્થિઓ સુધી બેનિફિટનો લાભ જલદી પહોંચે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો