એપશહેર

સુપ્રીમ કોર્ટનો આદેશ, દહેજના કેસમાં હવે પતિની થઈ શકશે તુરંત ધરપકડ

નવરંગ સેન | I am Gujarat 14 Sep 2018, 1:18 pm
I am Gujarat supreme court takes note of misuse of anti dowry law
સુપ્રીમ કોર્ટનો આદેશ, દહેજના કેસમાં હવે પતિની થઈ શકશે તુરંત ધરપકડ


સુપ્રીમે પોતાનો જ ચુકાદો બદલ્યો

નવી દિલ્હી: દહેજ વિરોધી કાયદાના વધી રહેલા દુરુપયોગની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. કોર્ટે થોડા સમય પહેલા કલમ 498A હેઠળ આરોપીની તાત્કાલિક ધરપકડ પર રોક લગાવી દીધી હતી. જોકે, હવે સુપ્રીમે પોતાના જ નિર્ણયમાં મોટો બદલાવ કરતા પતિની તુરંત ધરપકડનો રસ્તો સાફ કરી દીધો છે. કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદનો ઉકેલ લાવવા પરિવાર કલ્યાણ કમિટીની જરુર નથી.

દહેજના કેસમાં જામીન પણ મુશ્કેલ

કલમ 498A હેઠળના દહેજના કેસમાં પરિણિત મહિલાના પોતાના પતિ તેમજ તેના સંબંધીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આ કાયદાની સૌથી કડક બાજુ એ છે કે, તે અત્યાર સુધી બિનજામીનપાત્ર હતો. જોકે, સુપ્રીમ કોર્ટે તેમાં સુધારા કરતા મહિલા વકીલોની NGO ન્યાયાધર દ્વારા સુપ્રીમમાં પીટિશન કરાઈ હતી.

આગોતરા જામીનનો રસ્તો ખૂલ્લો

દહેજના કેસમાં આરોપીની તુરંત ધરપકડ કરવા પર લગાવાયેલી પાબંધીને હટાવતા કોર્ટે કહ્યું હતું કે, પીડિતની સુરક્ષા માટે આમ કરવું જરુર છે. કોર્ટે એમ પણ જણાવ્યું છે કે આરોપીઓ માટે આગોતરા જામીનનો રસ્તો ખૂલ્લો છે. મહત્વનું છે કે, સુપ્રીમના બે જજોની બેંચે ગયા વર્ષે આપેલા જજમેન્ટમાં જણાવ્યું હતું કે, દહેજ કેસમાં સીધી ધરપકડ નહીં થાય, જોકે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં ત્રણ જજોની બેંચે તેમાં પરિવર્તન કર્યું છે.

હવે કોર્ટે જ કહ્યું, ‘સેફગાર્ડ અયોગ્ય’

કોર્ટે જણાવ્યું છે કે, કલમ 498A મહિલાઓને સાસરામાં અપાતા ત્રાસ, તેમજ દહેજને લઈને થતી હેરાનગતિથી બચાવવા માટે છે. કોર્ટે કહ્યું હતું કે, આ કલમ હેઠળ આરોપીઓને અપાયેલા સેફકાર્ડ સાથે તે સહમત નથી. અગાઉ સુપ્રીમે રાજેશ શર્મા વિરુદ્ધ સ્ટેટ ઓફ યુપીના કેસમાં ગાઈડલાઈન ઈશ્યૂ કરી હતી, જેમાં દહેજના કેસમાં તુરંત ધરપકડ પર રોક લગાવાઈ હતી.

કોર્ટે અગાઉ તુરંત ધરપકડ ન કરવા કહ્યું હતું

સુપ્રીમે કહ્યું હતું કે, કોર્ટે પહેલા અરનેશ કુમાર વિરુદ્ધ બિહાર સ્ટેટના કેસમાં પણ કોઈ ઠોસ કારમ વિના દહેજના કેસમાં ધરપકડ ન કરવા માટે નિર્દેશ આપ્યા હતા. કાયદા પંચે પણ કહ્યું હતું કે, આ મામલાને સમાધાનકારી બનાવવો જોઈએ. નિર્દોષ લોકોના માનવાધિકારને નજરઅંદાજ ન કરી શકાય. નિર્દોષ લોકોના માનવાધિકારને નજરઅંદાજ ન કરી શકાય.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો