એપશહેર

સ્વદેશીનો મતલબ એ નથી કે બધી વિદેશી પ્રૉડક્ટ્સનો બૉયકૉટ કરી દઈએ : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખે 'આત્મનિર્ભર ભારત'ના વિચારને ટાંકતા કહ્યું - તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર જરૂરી નથી પણ...

I am Gujarat 13 Aug 2020, 12:00 am
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, સ્વદેશીનો મતલબ દરેક વિદેશી ઉત્પાદનનો બહિષ્કાર નથી. તેમણે બુધવારે કહ્યું કે, સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતો અનુરૂપ આર્થિક નીતિ ન બની અને દુનિયા તતા કોવિડ-19ના અનુભવોથી એ સ્પષ્ટ છે કે, વિકાસનું એક નવું મૂલ્ય આધારિત મૉડલ હોવું જોઈએ. ભાગવતે કહ્યું કે, સ્વદેશીનો અર્થ જરૂરી નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે. તેમણે ડિજિટસ માધ્યમથી પ્રોફેસર રાજેન્દ્ર ગુપ્તાના બે પુસ્તકોનું લોકાર્પણ કરતા કહ્યું કે, 'સ્વતંત્રતા બાદ જેવી આર્થિક નીતિ બનવી જોઈતી હતી, તેવી ન બની. આઝાદી બાદ એવું માનવામાં જ નથી આવ્યું કે, આપણે કશું કરી શકીએ છીએ. સારું છે કે, હવે શરૂ થઈ ગયું છે.'
I am Gujarat swadeshi does not mean boycotting all foreign products says rss chief mohan bhagwat
સ્વદેશીનો મતલબ એ નથી કે બધી વિદેશી પ્રૉડક્ટ્સનો બૉયકૉટ કરી દઈએ : મોહન ભાગવત


'જ્ઞાનને પ્રોત્સાહન આપવાની જરૂર'

RSS પ્રમુખે કહ્યું કે, આઝાદી બાદ રશિયા પાસેથી પંચવર્ષીય યોજના લેવામાં આવી, પશ્ચિમી દેશોનું અનુકરણ કરવામાં આવ્યું પણ પોતાના લોકોના જ્ઞાન અને ક્ષમતા તરફ જોવામાં ન આવ્યું. તેમણે કહ્યું કે, પોતાના દેશમાં ઉપલબ્ધ અનુભવ આધારિત જ્ઞાનને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેમણે કહ્યું, 'આપણે એ વાત પર નિર્ભર ન રહેવું જોઈએ કે, આપણી પાસે વિદેશથી શું આવે છે અને આ જો આપણે એવું કરીએ છીએ તો પોતાની શરતો પર કરવું જોઈએ.' તેમણે કહ્યું કે, વિદેશોમાં જે કંઈ છે, તેનો બહિષ્કાર નથી કરવાનો પણ પોતાની શરતો પર લેવાનું છે.

'બંને મોડલ હવે કામ નહીં કરે'

ભાગવતે કહ્યું કે, જ્ઞાન વિશે દુનિયામાંથી સારા વિચાર આવવા જોઈએ. તેમણે કહ્યું કે, પોતાના લોકો, પોતાનું જ્ઞાન, પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવાવાળો સમાજ, વ્યવસ્થા અને શાસન જાઈએ. તેમણે કહ્યું કે, ભૌતિકતાવાદ, જડવાદ અને તેની તાર્કિક પરિણતિને કારણે વ્યક્તિવાદ અને ઉપભોક્તાવાદ જેવી વાતો આવી. એવો વિચાર આવ્યો કે, દુનિયાને એક વૈશ્વિક બજાર બનાવવું જોઈએ અને આના આધારે વિકાસની વ્યાખ્યા કરવામાં આવી. તેમણે કહ્યું કે, આના પરિણામે વિકાસના બે પ્રકારના મૉડલ આવ્યા. આમાં એક કે છે કે, મનુષ્યની સત્તા છે અને બીજું કહે છે કે, સમાજની સત્તા છે.

'વિકાસના ત્રીજા મોડલની જરૂર'

ભાગવતે કહ્યું કે, 'આ બંનેથી દુનિયાને સુખ પ્રાપ્ત થયું નથી. આ અનુભવ દુનિયાને ધીમે-ધીમે થયો અને કોવિડ-19ના સમયમાં આ વાત પ્રમુખતાથી સામે આવી. હવે વિકાસનો ત્રીજો વિચાર (મોડલ)' આવવું જોઈએ જે મૂલ્યો પર આધારિત હોય.' તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'આત્મનિર્ભર ભારત'ની વાત આ જ દૃષ્ટિથી કહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો