એપશહેર

કોરોનાના કારણે કામનું દબાણ! ચેન્નઈમાં ડોક્ટરે કરી આત્મહત્યા

Navbharat Times 21 Jul 2020, 8:24 pm

ચેન્નઈ: તમિલનાડુના ચેન્નઈમાં એક ડોક્ટરે મેડિકલ કોલેજની હોસ્ટેલના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. કોરોના વાયરસના દર્દીઓનો ઈલાજ કરી રહેલા આ ડોક્ટર ગવર્નમેન્ટ સ્ટેનલી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ કરી રહ્યા હતા. આ ડોક્ટરના મોત બાદ હાહાકાર મચી ગયો છે. આ ડોક્ટરની મોતનું કારણ કામનું વધારે દબાણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ડોક્ટર કન્નન વ્યવસાયે ઓર્થોપેડિક્સ સર્જન હતા. તપાસ દરમિયાન પોલીસને ડોક્ટર્સના આંતરિક વોટ્સએપ ગ્રૂપના મેસેજ મળ્યા છે. જે મેસેજોમાં ડોક્ટર કન્નનના મોતનું કારણ કામનું વધારે દબાણ હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ, પોલીસે હાલ કામના દબાણના કારણે આ ડોક્ટરની આત્મહત્યાની વાત નકારી છે. પોલીસે જણાવ્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે. બાદમાં આ મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આત્મહત્યા કરતા પહેલા આ ડોક્ટર કન્નને કોઈ સુસાઈડ નોટ છોડી નહીં હોવાને કારણે તેમના મોતનું રહસ્ય વધુ જટિલ બની રહ્યું છે. કેટલાંક ડોક્ટર્સે પોલીસને જણાવ્યું કે તેમણે સોમવારે બપોરે દોઢ વાગ્યા સુધી ડોક્ટર કન્નનને દર્દીઓના ઈલાજ કરતા જોયા હતા. બાદમાં તેઓ હોસ્ટેલ આવ્યા હતા.

સાંજે 4 વાગ્યે અચાનક લોકોએ આ ડોક્ટરનું શબ હોસ્ટેલની બહાર જમીન પર જોયું. તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને પોલીસને સૂચના આપવામાં આવી. હોસ્પિટલમાં ડોક્ટર કન્નનને મૃત જાહેર કરવામાં આવ્યા. પોલીસે આ ડોક્ટરનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોલીસે ડોક્ટર કન્નનના પરિવારને આ અંગેની સૂચના આપી છે.

I am Gujarat tamilnadu doctor end his life
કોરોનાના કારણે કામનું દબાણ! ચેન્નઈમાં ડોક્ટરે કરી આત્મહત્યા


તાપીઃ વેલદા ગામે ખાનગી તબીબે મહિલાની સારવાર ન કરતા મહિલાનું થયું મોત, સ્વજનોએ ક્લિનિક સળગાવી માર્યું

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો