એપશહેર

કાશ્મીરમાં આતંકવાદની કમર તૂટી, મોટાભાગના આતંકી કમાન્ડર ઠાર મરાયા

કાશ્મીરમાં આતંકવાદની કમર તૂટી ગઈ છે. હવે તેમની પાસે સંગઠનો ચલાવવા માટે લીડર નથી. સુરક્ષાદળને કાશ્મીરમાં સતત સફળતા મળી રહી છે. બચેલા કમાન્ડરો પણ જલદી જ ઠાર મરાશે.

I am Gujarat 22 Aug 2020, 8:41 pm
શ્રીનગર: કાશ્મીરમાં અત્યારે આતંકવાદ કોઈ લીડરશિપ વિના ચાલી રહ્યો છે. કારણકે મોટાભાગના આતંકી કમાન્ડરો કાશ્મીરમાં ઠાર મરાયા છે. રિયાય નાયકૂ મરી ગયા બાદ જે કમાન્ડરોને કમાન સોંપવામાં આવી તેનો પણ ખાતમો થઈ ગયો. લશ્કર સંગઠનની પણ આ જ હાલત છે. હાલ હિઝબુલ તથા લશ્કરની પાસે કમાન્ડરોની અછત છે. જૈશની પાસે બચેલા કમાન્ડર છે કે જેને ઠાર મારવા સેના તરફથી ઓપરેશન કાર્યરત છે. આ વર્ષે પોલીસ તરફથી 12 ટોપ કમાન્ડરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જે પૈકી અડધા ઠાર મરાયા છે.
I am Gujarat w1


આઈજી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા મુજબ કાશ્મીરમાં આતંકવાદની કમર તૂટી ગઈ છે. હવે તેમની પાસે સંગઠનો ચલાવવા માટે લીડર નથી. સુરક્ષાદળને કાશ્મીરમાં સતત સફળતા મળી રહી છે. બચેલા કમાન્ડરો પણ જલદી જ ઠાર મરાશે.

જાણકારી મુજબ કાશ્મીરમાં લશ્કર, જૈશ, હિઝબુલ, એજીએચ, અલ બદરના આતંકી સક્રિય છે. કેટલાંક આતંકવાદીઓ ઠાર મરાય છે તો કેટલાંક યુવાનોને આતંકવાદ અવળે માર્ગે વાળીને આતંકવાદના રસ્તા પર લઈ આવે છે. પણ, આ આતંકી સંગઠનોની પાસે કમાન્ડરોની અછત જોવા મળી રહી છે.

કાશ્મીરમાં આતંકી સંગઠનો તરફથી એક બેનર હેઠળ કામ કરીને હુમલાઓ થઈ રહ્યા છે. જેનાથી બચેલા આતંકવાદીઓને બચાવી શકાય. સૂત્રો મુજબ, પાકિસ્તાનમાં બેઠેલા મોટા કમાન્ડરોના ઈશારે કામ શરૂ કરવામાં આવ્યું છે કે જેનાથી કમાન્ડરોની અછતને પૂરી કરી શકાય. પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તર કાશ્મીરમાં હાલ લગભગ 50 આતંકી સક્રિય છે. ત્યાંના ટોચના કમાન્ડરને ઠાર મારવામાં આવશે ત્યારબાદ ઉત્તર કાશ્મીરમાં કોઈ મોટો કમાન્ડર નહીં બચે.

સીમા પારથી ઘૂસણખોરીમાં સફળતા નહીં મળતા કમાન્ડરોમાં અછત જોવા મળી રહી છે. કારણકે સીમા પારથી પાકિસ્તાની આતંકવાદીઓ આવી રહ્યા નથી. એટલે હવે આ બાજુ કમાન સ્થાનિક આતંકવાદીઓના હાથમાં છે. જો સીમા પારથી આતંકી આવતા હતા તો તેઓને ગ્રૂપની કમાન સોંપવામાં આવતી હતી. પછી તેઓ પાકિસ્તાનના ઈશારે કાશ્મીરમાં આતંકી સંગઠનો ચલાવતા હતા.

Read Next Story