એપશહેર

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં બસ સ્ટેશન પર આતંકી હુમલો, 20 ઈજાગ્રસ્ત

Hitesh Mori | I am Gujarat 28 Oct 2019, 5:22 pm
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં 20 નાગરિકો ઈજાગ્રસ્ત થાય છે. મળી રહેલા સમાચાર મુજબ આતંકીઓએ બસ સ્ટેશન પર સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેક્યો હતો. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી આતંકીઓની શોધખોળ હાથ ધરી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો કાશ્મીર પોલીસના મતે આતંકવાદીઓએ સોપોરમાં બસ સ્ટેન્ડ પર સામાન્ય નાગરિકો પર ગ્રેનેડ ફેક્યો. પ્રાથમિક માહિતી મુજબ ગ્રેનેડ હુમલામાં 20 સ્થાનિક લોકોને ઈજા પહોંચી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઈજાગ્રસ્તોમાં 1ની હાલત વધારે ગંભીર છે. તેને શ્રીનગરની એક હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે.
સીઆરપીએફની 179ની બટાલિયન ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. આતંકીઓને પકડવા માટે સુરક્ષાદળ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આર્ટિકલ 370 દૂર કર્યા બાદ સુરક્ષાદળોએ આતંકીઓ પર શિકંજો કરી સીધો છે. હવે આતંકીઓ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે.

Read Next Story