એપશહેર

પીઓકેમાં આતંકી અડ્ડાઓ પર ભારતીય સેનાનો ભારે ગોળીબાર, ઘણાં ઠેકાણા થયા સાફ

Tejas Jinger | I am Gujarat 20 Oct 2019, 12:36 pm
નવી દિલ્હીઃ બોર્ડર પર પાકિસ્તાનના દુસ્સાહસનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. રવિવારે સવારે પાકિસ્તાનની સેનાએ ઘૂસણખોરી કરીને ફાયરિંગ કર્યું જેમાં બે જવાન શહીદ થયા હતા. તેનો કડક જવાબ આપવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ઘણાં આતંકી ઠેકાણાનો સફાયો કર્યો છે. પીઓકેથી સંચાલિત આતંકી ઠેકાણાને તોપ (આર્ટિલરિ ગન)થી ગોળીબાર કર્યો છે. ભારત દ્વારા કાર્યવાહી તંગધાર સેક્ટરની બીજી તરફ PoKમાં કરવામાં આવી રહી છે. આજે સવારે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેના કારણે ઘણું નુકસાન થયું છે. જેમાં એક નાગરિકનું પણ મોત થયું છે જ્યારે અન્ય 3 ઘાયલ થયા છે. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં ઘણાં ઘરોને નુકસાન થયું છે.
તોપથી આતંકીઓના ઠેકાણા કરાયા સાફ પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણી કરાયા બાદ ભારતીય સેનાએ પાડોશી દેશને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં આર્ટિલરી ગન્સ (તોપ)થી POK પર ગોળીબાર કરવામાં આવ્યો છે. આ હુમલામાં પીઓકેમાં સ્થિત આતંકી ઠેકાણા નષ્ટ કરાયા છે. આ ઠેકાણાં પરથી આતંકીઓને ભારતમાં મોકલવાની તૈયાર કરાઈ રહી હતી.
પાકિસ્તાન તરફથી કરાયેલા હુમલામાં મકાનને થયું નુકસાન

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો