એપશહેર

કોરોના વેક્સીનથી પણ વધારે અસરકારક છે એન્ટીબોડી કોકટેલ, ટ્રમ્પ થયા તેનાથી સાજા

અમેરિકન બાયોટેક્નોલોજી કંપની રીજેનેરોનએ એવું એન્ટી બોડી કોકટેલ તૈયાર કર્યું છે

I am Gujarat 10 Oct 2020, 3:42 pm
કોરોના વાયરસ વેક્સીનથી કોવિડ-19 વિરુદ્ધ ઈમ્યુનિટી હાંસલ થાય છે. પરંતુ તેનાથી ઈન્ફેક્શન બાદ સારવાર થતી નથી. અમેરિકન બાયોટેક્નોલોજી કંપની રીજેનેરોનએ એવું એન્ટી બોડી કોકટેલ તૈયાર કર્યું છે જે કોરોનાથી બચાવે પણ છે અને તેની સારવાર પણ કરે છે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી ચેપગ્રસ્ત થયા બાદ આ જ કોકટેલ આપવામા આવ્યું હતું. સાયન્સ જર્નલમાં પબ્લિશ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે વાંદરાઓને જ્યારે ઈન્ફેક્શનના ત્રણ દિવસ પહેલા આ એન્ટીબોડી કોકટેલ આપવામાં આવ્યું હતું તો તેમના શરીરમાં કોવિડ ઈન્ફેક્શન થયું ન હતું. રીજેનેરોનના સંશોધકોનો દાવો છે કે આ કોકટેલ કોવિડ-19ને રોકવા તથા તેની સારવાર બંનેમાં ઉપયોગ થઈ શકે છે.
I am Gujarat the truth about president donald trumps covid 19 cocktail cure
કોરોના વેક્સીનથી પણ વધારે અસરકારક છે એન્ટીબોડી કોકટેલ, ટ્રમ્પ થયા તેનાથી સાજા


વેક્સીન કરતા વધારે અસરકારક છે આ કોકટેલ

સાયન્સ જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે સંશોધકોએ વાંદરાઓ પર REGN-COVનો ટેસ્ટ કર્યો. તેમાં કોવિડ-19ના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. જ્યારે ઉંદરોમાં લક્ષણ વધારે ગંભીર હતા. જાણવા મળ્યું કે જ્યારે વાંદરાઓને વાયરસના સંપર્કમાં લાવવાના ત્રણ દિવસ પહેલા કોકટેલ આપવામાં આવ્યું હતું તો તેમની સારવારમાં ઈન્ફેક્શન થયું ન હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ પરિણામો અત્યાર સુધી પ્રાણીઓ પર થયેલા વેક્સીનના પરિણામો સમાન અથવા સારા છે.

સારવારમાં પણ મદદ કરે છે આ કોકટેલ

સંશોધકોએ જણાવ્યું છે કે તેનાથી કોવિડ ઈન્ફેક્શનથી રક્ષણ અને સારવાર બંને શક્ય છે. જ્યારે વાંદરાઓને ઈન્ફેક્શનના એક દિવસ બાદ આ કોકટેલ આપવામાં આવ્યું હતું તો તેમનું વાયરલ ક્લિયરન્સ તે વાંદરાઓ કરતા વધારે ઝડપી હતું જેમને કોકેટલ મળ્યું ન હતું. ઉંદરોને ઈન્ફેક્શનના બે દિવસ પહેલા રિજેનેરોનનું એન્ટીબોડી કોકટેલ આપવાથી વજનમાં ઘટાડાની સમસ્યા દૂર થઈ હતી. સ્ટડીમાં સંશોધકોએ કહ્યું છે કે અમારા ડેટા આ વાતનો પુરાવો છે કે REGE-COV2 પર આધારિત સારવારથી કોવિડ-19 બીમારીને રોકવા અને તેની સારવારમાં ફાયદો થઈ શકે છે.

કેવી રીતે કામ કરે છે એન્ટીબોડીઝનું આ કોકટેલ?

REGE-COV2મા બે એન્ટીબોડીઝનું કોકટેલ છે. તેને નવા કોરોના વાયરસના તે ભાગને રોકવા માટે બનાવવામાં આવ્યું છે જેના દ્વારા તે મનુષ્યોની કોશિકાઓમાં પ્રવેશ કરે છે. આ એન્ટીબોડીઝ પોતાને વાયરસના સ્પાઈક પ્રોટિનથી અલગ-અલગ ભાગને જોડી લે છે. તેનાથી તેમનું સ્ટ્રક્ચર બદલાઈ જાય છે.

વેક્સીન કરતા કેટલું અલગ છે કોકટેલ?

વેક્સીન શરીરને જાતે એન્ટીબોડીઝ બનાવવાનું શીખવાડે છે. વૈજ્ઞાનિકો રિકવર થઈ ગયેલા દર્દીઓના લોહીમાંથી લેવામાં આવેલા કોન્વલસેન્ટ પ્લાઝમામાં નીકળવામાં આવેલી એન્ટીબોડીઝ પર પણ સંશોધન કરી રહ્યા છે. જોકે, તેને મોટા પાયે સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. એન્ટીબોડીઝનું આ કોકટેલ ડ્રિપ દ્વારા આપવામાં આવે છે. રીજેનેરોનના કોકટેલમાં રિકવર થયેલા દર્દીઓના પ્લાઝમામાંથી કાઢવામાં આવેલી સૌથી સારી એન્ડીબોડીઝ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો