એપશહેર

કોરોનાને હરાવી સાજા થયેલા દર્દીઓને ચ્યવનપ્રાશ ખાવાની અને કસરત કરવાની સલાહ

કોરોનામાંથી સાજા થઈ ગયા પછી પણ કેટલાંક દર્દીઓમાં નબળાઈ, શરીર તૂટવુ, ઉધરસ અને શ્વાસ લેવામાં સમસ્યા જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે.

I am Gujarat 13 Sep 2020, 6:00 pm
નવી દિલ્હી: કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે કોરોનામાંથી સાજા થઈ ગયા પછી પણ કેટલાંક દર્દીઓમાં નબળાઈ, શરીર તૂટવુ, ઉધરસ અને શ્વાસ લેવામાં સમસ્યા જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે. આવા દર્દીઓની સંખ્યા સીમિત છે પણ તે સંબંધિત રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે કે જેથી જરૂરી પગલા લઈ શકાય. દેશમાં છેલ્લા 24 કલાકમાં 78,399 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 3,702,595 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ 77.88% થઈ ગયો છે.
I am Gujarat q2


કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવા પ્રોટોકોલમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોને ચ્યવનપ્રાશ ખાવાની, હળદરવાળુ દૂધ પીવાની અને યોગ કરવા માટેની સલાહ આપી છે. આ સિવાય તે લોકોને માસ્ક પહેરવા સહિત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. મંત્રાલયે આ દર્દીઓને ગરમ પાણી પીવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓનું સેવન કરવાનું જણાવ્યું છે.

કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓને નિયમિત કસરત કરવાની સાથે-સાથે સવાર-સાંજ બહાર આંટો મારવા જવું, તાજા ફળ ખાવા અને ધીરે-ધીરે ઘરનું તેમજ ઓફિસનું કામ શરૂ કરવું, પૂરતી ઊંઘ લેવી અને આરામ કરવો, સિગારેટ-દારૂથી દૂર રહેવું, બ્લડ પ્રેશર ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે. જાગૃતિ વધારવા માટે કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓ પોતાના મિત્રો, સંબંધી સાથે તેમનો અનુભવ શેર કરી શકે છે. આ માટે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદ પણ લઈ શકે છે.

મંત્રાલયે આ ચીજવસ્તુઓનું સેવન કરવા માટેની આપી સલાહ


મંત્રાલયે આ ચીજવસ્તુઓનું સેવન કરવા માટેની આપી સલાહ

  • દરરોજ આયુષ ક્વાથ (150 મિલી, એક કપ)
  • ગિલોય પાઉડર, 15 દિવસ માટે ગરમ પાણીમાં 1થી 3 ગ્રામ
  • અશ્વગંધા, દિવસમાં બે વખત
  • અશ્વગંધા પાઉડર, 15 દિવસ માટે બે વખત ગરમ પાણીમાં 1થી 3 ગ્રામ
  • આમળા અથવા આમળાનો પાઉડર
  • સવાર-સાંજ ગરમ દૂધ કે જેમાં અડધી ચમચી હળદર મિક્સ કરો
  • હળદર અને મીઠાના પાણીથી કોગળા કરો
  • દરરોજ એક ચમચી ચ્યવનપ્રાશ ખાઓ

Read Next Story