એપશહેર

Odisha Train Accident: અકસ્માત પહેલાની અંતિમ ક્ષણનો વીડિયો આવ્યો સામે, થોડી જ વારમાં મોતની ચિચિયારો ગૂંજી ઉઠી

ઓડિશાના બાલાસોરના બહાનાગામાં ત્રિપલ ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. આ દરમિયાન અકસ્માતની ગણતરીની સેકન્ડો પહેલાનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અકસ્માત થઈ રહ્યો હોય તેની પહેલાની અંતિમ ક્ષણો કેમેરામાં કેપ્ચર થઈ રહી છે. આ દરમિયાન અચાનક અંધારપટ્ટ છવાયું અને ટક્કર બાદ ચીસોના અવાજ સંભળાયા. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિશે

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 9 Jun 2023, 11:09 am
Coromandel Train Accident Video: ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માત થયો હતો જેમાં કોરોમંડલ ટ્રેનને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. અત્યારે તે ટ્રેનની અંદરનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અકસ્માત પહેલાની અંતિમ ક્ષણો કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયો ટ્રેન દુર્ઘટના પહેલાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને સંભવતઃ કોરોમંડલ ટ્રેનના કોઈ એક પેસેન્જરે ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ વીડિયોની પુષ્ટી હજુ સુધી થઈ શકી નથી. આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે અકસ્માત થયો ત્યારે કોચમાં શું થઈ રહ્યું હતું. આ કથિત વીડિયો AC કોચનો હોઈ શકે છે. આમાં એક સફાઈ કર્મચારી એસી કોચમાં કામ કરી રહ્યો હતો. ત્યારે અન્ય પેસેન્જર્સ ઉંઘી રહ્યા હતા તો કેટલાક વાતો કરી રહ્યા હતા. ત્યારપછી અચાનક...
I am Gujarat file pic
ફાઈલ ફોટો


અચાનક ઝાટકો વાગ્યો અને...
આ કથિત વીડિયોમાં જોવા જઈએ તો અચાનક ઝાડકો વાગ્યો અને વીડિયો શૂટ કરનારી વ્યક્તિનું બેલેન્સ બગડી ગયું હતું. જેના કારણે તેના હાથમાં ફોન છટકી ગયો અને લોકોની ચિસો શરૂ થઈ ગઈ હતી. આ વીડિયો એન્ડ થાય એની પહેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે ચીસો પાડતા હોય એવું સાંભળવામાં આવી રહ્યું છે. એક સમયે જે પેસેન્જર્સ એકબીજા સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા તો કેટલાક આરામ કરી રહ્યા હતા તેઓ જીવ બચાવવા માટે મદદ માગતા પણ સાંભળવામાં આવ્યા હતા.

ઈતિહાસની સૌથી કરૂણ ટ્રેન દુર્ઘટનામાંથી એક
ઉલ્લેખનીય છે કે ચેન્નઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ, SMVT બેંગલૂરૂ- હાવડા એક્સપ્રેસ અને ઓડિશામાં બાલાસોર પાસે જે અકસ્માત થયો તે હૃદયને કંપાવતો ટ્રેન અકસ્માત છે. આ દુર્ઘટના ઈતિહાસની સૌથી કરૂણ અને ભયાનક ટ્રેન દુર્ઘટનામાંથી એક છે. જેમાં 275 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 1 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે.

CBIએ ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરીપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોરોમંડલ એક્સ્પ્રેસ લૂપ લાઈનમાં ડાઈવર્ટ થઈ ગઈ અને બહાનગર બજાર સ્ટેશન પછી મેઈન લાઈનમાં જવાના સ્થાને ત્યાં ઉભી રહેલી એક માલગાડી જોડે અથડાઈ ગઈ હતી. CBIએ આ ટ્રેન દુર્ઘટનાની તપાસ જીઆરપી અને પોતાની પાસે લઈ લીધી છે અને અત્યારે આ અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. હવેમાં આ દુર્ઘટના કેવી રીતે થઈ તથા આની પાછળના તમામ કારણો વધુ તપાસ બાદ જ પ્રકાશમાં આવી શકે છે.
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો