એપશહેર

મકાનની છત પર 500 કુંડા મુકીની 40 જાતના ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે આ દંપતિ

Mitesh Purohit | I am Gujarat 13 Dec 2019, 1:34 pm
મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ઘણા લોકો ચોખ્ખા અને શુદ્ધ શાકભાજી માટે ગાર્ડનિંગનો વિકલ્પ અપનાવે છે. જોકે જો તમે એવું માનતા હોવ કે શાકભાજી ઉગાવવા માટે તમારે ઘરની આસપાસ મોટી જગ્યા જોઈએ તો તેવું નથી. હૈદરાબાદના આ દંપતીએ સાબિત કરી આપ્યું છે કે ટેરેસ ગાર્ડન દ્વારા પણ તમે જરુરી શાકભાજી પોતાના ઘરે જ ઉગાવી શકો છો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ ટેરેસ ગાર્ડનિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા પરિવાર માટે પૌષ્ટિક અને સુદ્ધ કેમિકલ ફ્રી શાકભાજી મળી રહે છે. સાથે સાથે બજારમાંથી ઓર્ગેનિકના નામે મોંઘા વસ્તુ ખરીદવાની મજબૂરીમાંથી બચી શકાય છે. હૈદરાબાદનું દંપતિ શ્રીનિવાસ અને પદ્મા પિન્નાકાએ શોખને પોષવા માટે શરુ કરેલ ગાર્ડનિંગ આજે તેમની ઓળખ બની ચૂક્યું છે. વાત વર્ષ 2014ની છે. જ્યારે દંપતિ પોતાના નવા ઘરમાં શિફ્ટ થયું. ત્યાં સુધી ગાર્ડનિંગના શોખિન પદ્મા પોતાના ઘરની બાલ્કનીમાં થોડાઘણી ફૂલઝાડ વાવીને ખૂશ રહેતા હતા. પરંતુ નવા ઘરમાં તમને મોકો મળ્યો. હવે તેમના ઘરે ટેરેસ પર 500 જેટલા કુંડામાં 40થી વધુ અલગ અલગ પ્રકારના ફળ, શાકભાજી અને ફૂલ વાવે છે. તેમના આ શોખને લોકો તરફથી એટલી બધી સકારાત્મક પ્રતિક્રિયા મળવા સાથે પ્રશ્નો આવવા લાગ્યા કે તેમણે પોતાની એક યુટ્યુબ ચેનલ જ શરુ કરી દીધી. તેમની આ ચેનલ શરુ થયાને 6 મહિના પણ નથી થયા અને 77 હજારથી વધુ તેમના સબ્સક્રાઈબર છે. તેમજ તેમના દરેક વીડિય પર હજારો વ્યુઝ છે. પોતાના ટેરેસ પર આટલા છોડ ઉગાવ્યા હોવા છતા પાણીનો બગાડ ન થાય તે માટે દરેક કુંડા નીચે તેમણે વાસણ રાખ્યા છે જેથી વધારાનું પાણી આ વાસણમાં આવી જાય છે. તેમજ ઉનાળામાં તેઓ ઝાડપાનને વધુ પાણી પાવાની જગ્યાએ દિવસમાં 3-4વાર સ્પ્રેથી પાણી આપે છે. જેથી પાણીની બચત સાથે ઝાડપાનની માવજત પણ થાય છે. આ ઉપરાંત તેમણે પોતાના ખૂબ નાના ટેરેસમાં એ રીતે કુંડા ગોઠવ્યા છે કે જેથી નાની અમથી જગ્યામાં 500 જેટલા કુંડાને તેઓ રાખી શક્યા છે. 54 વર્ષના પદ્માના ગાર્ડનમાં તમને 5 પ્રકારના આંબા, બે પ્રકારની દ્રાક્ષ, એવાકાડો, નારિયળ, કેળા, પપૈયા, ડ્રેગન ફ્રૂટ, શિમલા સરફરજન, પરવળ, સ્ટ્રોબેરી, આંબલી, મોસંબી, લિંબુ, સંતરા, તેમજ શાકભાજીમાં ટમેટા, રિંગણ, લીલા મરચા, કારેલા, કાકડી, બ્રોકલી, તુરિયા, ભિંડા, ફણસી, આદુ, હળદર તેમજ પાલક, ધાણાભાજી સહિતના લીલા શાકભાજી જોવા મળે છે.

Read Next Story