નવી દિલ્હી: લગભગ 45 વર્ષ સુધી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર એક પણ ગોળી નથી ચાલી, પરંતુ ચીનની ઉશ્કેરણીજનક હરકતોને કારણે હવે બોર્ડર પર સ્થિતિ બગડી ગઈ છે. જાણકારી મુજબ, 20 દિવસમાં પૂર્વ લદાખમાં સરહદ વિવાદને લઈને ભારત-ચીન વચ્ચે ત્રણ વખત ફાયરિંગની ઘટના બની ચૂકી છે. બીજી તરફ પૂર્વ લદાખમાં ચીનની સેના તરફથી કરવામાં આવી રહેલી હરકતોના કારણે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય સેનાએ પોતાના અજેય બોફોર્સ હોવિત્ઝરને ઓપરેશન માટે તૈયાર કરી લીધા છે.
ફાયરિંગની ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી રશિયાના મોસ્કોમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક માટે પહોંચ્યા હતા. આ બેઠકની અલગ પણ બંને વિદેશ મંત્રીઓની વચ્ચે મીટિંગ થઈ હતી અને બંનેએ સરહદ પર એપ્રિલથી ચાલી રહેલા તણાવ પર વાતચીત કરી હતી. વાતચીત મુજબ, બંને પક્ષ કોર્પ્સ કમાન્ડર સ્તરીય વાતચીત કરવાના હતા, પરંતુ હજુ સુધી ચીન તરફથી તારીખ અને સમયની પુષ્ટિ નથી થઈ. આ પહેલા રાજ્યસભામાં આજ એક સવાલના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, ગત છ મહિનામાં ભારત-ચીન સરહદ પર ઘુસણખોરીનો કોઈ મામલો સામે નથી આવ્યો.
ભારતીય સેનાના સૂત્રો મુજબ, 20-30 ઓગસ્ટની રાત્રે જ્યારે ચીને પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ચુશૂલ સેક્ટરની ઓપોઝિટ મૂવમેન્ટ કરી અને ભારતીય વિસ્તારમાં ઘુસખણખોરીનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય સૈનિકોએ તેમને ચેતવણી આપવા માટે હવામાં ફાયરિંગ કર્યું. ચીનના સૈનિકો તરફથી પણ હવામાં ફાયરિંગ કરાયું. આ દરમિયાન ભારતીય સૈનિકોએ દક્ષિણ કિનારે મહત્વની ટેકરીઓ પર પોતાની પોઝિશન લઈ લીધી. જેનાથી ભારતીય સેના ત્યાં એડવાન્ટેજ પોઝિશનમાં આવી ગઈ. 7 સપ્ટેમ્બરે ચીનના સૈનિકોએ આ ટેકરીઓ પર જ ભારતીય પોઝિશનની નજીક આવવાનો પ્રયાસ કરી ભારતીય સેનાએ જે વાયર ઓબ્સ્ટિકલ લગાવ્યા છે તેને કાપવાનો પ્રયાસ કર્યો. ત્યારે ચીનના સૈનિકોને ચેતવણી આપવા માટે ભારતીય સૈનિકોએ હવામાં ફાયરિંગ કર્યું. ચીનના સૈનિકોએ પણ દબાણ ઊભું કરવા માટે ફાયરિંગ કર્યું. બંને વખત 2-3 રાઉન્ડ ફાયર જ થયું.
9 સપ્ટેમ્બરે ફિંગર-4 પાસે થયું ફાયરિંગ
10 સપ્ટેમ્બરે મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની મીટિંગ હતી, આ પહેલા 9 સપ્ટેમ્બરે ચીનના સૈનિકોએ પેંગોંગ લેકના ઉત્તર કિનારે ફિંગર-4 પાસે ભારતીય પોઝિશનની નજીક આવવાનો પ્રયાસ કર્યો. અહીં ફિંગર-4ની ટેકરી પર ચીનના સૈનિકો પગદંડો જમાવેલો છે, પરંતુ ભારતીય સેનિકોએ ફિંગર-3ના રસ્તે ફિંગર-4ની પાસે એ ટેકરી પર તૈનાત થઈ ગયા, જેનાથી તેઓ ચીનના સૈનિકો કરતા વધુ ઊંચાઈએ પહોંચી ગયા છે. વધુ ઊંચાઈ હોવાના કારણે ભારતીય સેના અહીં એડવાન્ટેજ પોઝિશનમાં છે. 9 સપ્ટેમ્બરે ચીનના સૈનિકોએ તેની નજીક આવવાનો પ્રયાસ કર્યો અને પછી બંને દેશો તરફથી હવામાં ફાયરિંગ થયું. સૂત્રો મુજબ, અહી 100થી વધુ રાઉન્ડ ફાયર થયા.
10 સપ્ટેમ્બરથી નથી થઈ કોઈ મૂવમેન્ટ
આર્મીના એક અધિકારી મુજબ, વિદેશ મંત્રીઓની મીટિંગ બાદ એલએસી પર કોઈ નવી મૂવમેન્ટ નથી થઈ. જોકે, તણાવ હજુ ચાલુ જ છે. ચુશૂલ સેક્ટરમાં ટેકરીઓની પાસે જ ઓછામાં ઓછી ત્રણ જગ્યાઓ પર ભારત-ચીનના સૈનિકો 300 મીટરના અંતર પર તૈનાત છે. ફિંગર એરિયામાં પણ એકબીજાના ફાયરિંગ રેન્જમાં છે. જોકે, ચીન તરફથી કોઈ એગ્રેસિવ પગલું નથી ઉઠાવાયું કે ભારતીય પોઝિશનની નજીક આવવાનો પ્રયાસ નથી કરાયો.
બોફોર્સ પણ તૈનાતલદાખમાં બોફોર્સ તોપને પણ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવી રહી છે. લદાખમાં એન્જિનિયર્સ 155 મિમી બોફોર્સ તોપની સર્વિસિંગ અને મેન્ટેનન્સનું કામ કરી રહ્યા છે. બોફોર્સ તોપને 1980ના દાયકાના મધ્યમાં તોપખાનાની રેજિમેન્ટમાં સામેલ કરવામાં આવી હતી.
ફાયરિંગની ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી રશિયાના મોસ્કોમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક માટે પહોંચ્યા હતા. આ બેઠકની અલગ પણ બંને વિદેશ મંત્રીઓની વચ્ચે મીટિંગ થઈ હતી અને બંનેએ સરહદ પર એપ્રિલથી ચાલી રહેલા તણાવ પર વાતચીત કરી હતી. વાતચીત મુજબ, બંને પક્ષ કોર્પ્સ કમાન્ડર સ્તરીય વાતચીત કરવાના હતા, પરંતુ હજુ સુધી ચીન તરફથી તારીખ અને સમયની પુષ્ટિ નથી થઈ. આ પહેલા રાજ્યસભામાં આજ એક સવાલના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, ગત છ મહિનામાં ભારત-ચીન સરહદ પર ઘુસણખોરીનો કોઈ મામલો સામે નથી આવ્યો.
ભારતીય સેનાના સૂત્રો મુજબ, 20-30 ઓગસ્ટની રાત્રે જ્યારે ચીને પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ચુશૂલ સેક્ટરની ઓપોઝિટ મૂવમેન્ટ કરી અને ભારતીય વિસ્તારમાં ઘુસખણખોરીનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય સૈનિકોએ તેમને ચેતવણી આપવા માટે હવામાં ફાયરિંગ કર્યું. ચીનના સૈનિકો તરફથી પણ હવામાં ફાયરિંગ કરાયું. આ દરમિયાન ભારતીય સૈનિકોએ દક્ષિણ કિનારે મહત્વની ટેકરીઓ પર પોતાની પોઝિશન લઈ લીધી. જેનાથી ભારતીય સેના ત્યાં એડવાન્ટેજ પોઝિશનમાં આવી ગઈ. 7 સપ્ટેમ્બરે ચીનના સૈનિકોએ આ ટેકરીઓ પર જ ભારતીય પોઝિશનની નજીક આવવાનો પ્રયાસ કરી ભારતીય સેનાએ જે વાયર ઓબ્સ્ટિકલ લગાવ્યા છે તેને કાપવાનો પ્રયાસ કર્યો. ત્યારે ચીનના સૈનિકોને ચેતવણી આપવા માટે ભારતીય સૈનિકોએ હવામાં ફાયરિંગ કર્યું. ચીનના સૈનિકોએ પણ દબાણ ઊભું કરવા માટે ફાયરિંગ કર્યું. બંને વખત 2-3 રાઉન્ડ ફાયર જ થયું.
9 સપ્ટેમ્બરે ફિંગર-4 પાસે થયું ફાયરિંગ
10 સપ્ટેમ્બરે મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની મીટિંગ હતી, આ પહેલા 9 સપ્ટેમ્બરે ચીનના સૈનિકોએ પેંગોંગ લેકના ઉત્તર કિનારે ફિંગર-4 પાસે ભારતીય પોઝિશનની નજીક આવવાનો પ્રયાસ કર્યો. અહીં ફિંગર-4ની ટેકરી પર ચીનના સૈનિકો પગદંડો જમાવેલો છે, પરંતુ ભારતીય સેનિકોએ ફિંગર-3ના રસ્તે ફિંગર-4ની પાસે એ ટેકરી પર તૈનાત થઈ ગયા, જેનાથી તેઓ ચીનના સૈનિકો કરતા વધુ ઊંચાઈએ પહોંચી ગયા છે. વધુ ઊંચાઈ હોવાના કારણે ભારતીય સેના અહીં એડવાન્ટેજ પોઝિશનમાં છે. 9 સપ્ટેમ્બરે ચીનના સૈનિકોએ તેની નજીક આવવાનો પ્રયાસ કર્યો અને પછી બંને દેશો તરફથી હવામાં ફાયરિંગ થયું. સૂત્રો મુજબ, અહી 100થી વધુ રાઉન્ડ ફાયર થયા.
10 સપ્ટેમ્બરથી નથી થઈ કોઈ મૂવમેન્ટ
આર્મીના એક અધિકારી મુજબ, વિદેશ મંત્રીઓની મીટિંગ બાદ એલએસી પર કોઈ નવી મૂવમેન્ટ નથી થઈ. જોકે, તણાવ હજુ ચાલુ જ છે. ચુશૂલ સેક્ટરમાં ટેકરીઓની પાસે જ ઓછામાં ઓછી ત્રણ જગ્યાઓ પર ભારત-ચીનના સૈનિકો 300 મીટરના અંતર પર તૈનાત છે. ફિંગર એરિયામાં પણ એકબીજાના ફાયરિંગ રેન્જમાં છે. જોકે, ચીન તરફથી કોઈ એગ્રેસિવ પગલું નથી ઉઠાવાયું કે ભારતીય પોઝિશનની નજીક આવવાનો પ્રયાસ નથી કરાયો.
બોફોર્સ પણ તૈનાતલદાખમાં બોફોર્સ તોપને પણ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવી રહી છે. લદાખમાં એન્જિનિયર્સ 155 મિમી બોફોર્સ તોપની સર્વિસિંગ અને મેન્ટેનન્સનું કામ કરી રહ્યા છે. બોફોર્સ તોપને 1980ના દાયકાના મધ્યમાં તોપખાનાની રેજિમેન્ટમાં સામેલ કરવામાં આવી હતી.