એપશહેર

પાકિસ્તાનમાં બ્રહ્મોસ મિસાઈલ પડવાનો મામલો, એરફોર્સના 3 ઓફિસર ડિસમિસ

આ વર્ષે 9 માર્ચે ભારતની સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ ભારતીય સરહદથી 124 કિમી દૂર પાકિસ્તાનના ક્ષેત્રમાં જઈને પડી હતી. ભૂલથી છોડાયેલી આ મિસાઈલને પગલે ઘણો વિવાદ ઊભો થઈ ગયો હતો. પાકિસ્તાને આ મામલે તપાસની માગ કરી હતી. જેના પર કાર્યવાહી કરતા હવે ભારતે આ મિસફાયર માટે એરફોર્સના ત્રણ અધિકારીઓને ડિસમિસ કરી દીધા છે.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 23 Aug 2022, 8:05 pm
નવી દિલ્હી: આ વર્ષે માર્ચમાં જ્યારે પાકિસ્તાનમાં ભૂલથી ભારતની બ્રહ્મોસ મિસાઈલ ફાયર કરી દેવાઈ હતી, ત્યારે મોટો વિવાદ ઊભો થઈ ગયો હતો. પાકિસ્તાને આ મામલે તપાસની માગ કરી હતી. હવે, ભારત તરફથી કાર્યવાહી કરાતા એરફોર્સના ત્રણ ઓફિસરને ડિસમિસ કરી દેવાયા છે. વાયુ સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા આ ત્રણ ઓફિસરની સેવાને તાત્કાલીક પ્રભાવથી સમાપ્ત કરી દીધી છે. ઓફિસરોને મંગળવારે એટલે કે 23 ઓગસ્ટે ડિસમિસના આદેશ આપી દેવાયા છે.
I am Gujarat BrahMos Missile misfire
આ વર્ષે માર્ચ મહિનામાં ભૂલથી બ્રહ્મોસ મિસાઈલ પાકિસ્તાન તરફ ફાયર થઈ ગઈ હતી અને તે ભારત-પાક સરહદથી 124 કિમી દૂર પાકિસ્તાનના ક્ષેત્રમાં જઈને પડી હતી.


વાયુ સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે જે અધિકારીઓને ડિસમિસ કરાયા છે, તેમાં એક ગ્રુપ કેપ્ટન, એક વિંગ કમાન્ડર અને એક સ્ક્વાડ્રન લીડર સામેલ છે. તેમણે જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે, અધિકારીઓથી સ્ટાન્ડર્ડ પ્રોસિજર પ્રક્રિયામાં ચૂક થઈ ગઈ હતી, જેના કારણે ભૂલથી મિસાઈલ ફાયર થઈ ગઈ હતી.
પાકિસ્તાન તરફ ભૂલથી ગયેલી મિસાઈલને રસ્તામાં ઉડાવી શકાય તેમ હતી?
પાકિસ્તાનના ક્ષેત્રમાં 124 કિમી અંદર જઈને પડી હતી મિસાઈલ
9 માર્ચ, 2022એ સાંજે લગભગ 6.43 કલાકે હરિયાણાના સિરસાથી ભારતીય સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ ભૂલથી ફાયર થઈ ગઈ હતી અને તે સુરતગઢના રસ્તે ભારતીય સરહદથી 124 કિમી દૂર લાહોર નજીક પાકિસ્તાનના ક્ષેત્રમાં પડી હતી. તેનાથી એક કોલ્ડ સ્ટોરેજને નુકસાન થયું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તે સમયે ભારતે સમગ્ર ઘટના પર ખેદ વ્યક્ત કરતા તપાસ કરવાની વાત કરી હતી.

આ મામલાની તપાસ એર માર્શલ આરકે સિંહાને સોંપાઈ હતી
બાદમાં આ મામલાની તપાસ વાઈસ એર માર્શલ આરકે સિંહાએ કરી અને તેમણે આ સમગ્ર ઘટના માટે એકથી વધુ ઓફિસરને જવાબદાર જણાવાયા હતા. હવે, એ જ તપાસના આધારે વાયુસેનાના ત્રણ ઓફિસરને ડિસમિસ કરી દેવાયા છે. ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય, તે માટે કડક એક્શન લેવાયા છે.
24 વર્ષ પહેલાં ભારત આવ્યો, હિન્દુ શરણાર્થીઓ વચ્ચે રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઝડપાયો
સંરક્ષણ મંત્રીએ તેને અજાણતા બનેલી ઘટના જણાવી ખેદ વ્યક્ત કર્યો હતો
આ સમગ્ર વિવાદ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સંસદમાં એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અજાણતા બનેલી આ ઘટના ખેદજનક છે. તેમણે કહ્યું હતું કે, 'આપણી મિસાઈલ સિસ્ટમ અત્યંત સુરક્ષિત અને વિશ્વાસપાત્ર છે. આ ઘટના ઈન્સ્ટ્રક્શન દરમિયાન અજાણતા થયેલી મિસાઈલ રિલીઝથી સંબંધિત છે. પરંતુ રાહતની વાત છે કે આ ઘટનાથી કોઈપણ પ્રકારનું નુકસાન નથી થયું. સરકારે આ ઘટનાને ઘણી ગંભીરતાથી લીધી છે.'
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story