એપશહેર

અનિલ અંબાણીના ઘરે પધાર્યા વિઘ્નહર્તા ગણેશ, પત્ની ટીના અંબાણીએ કરી ખાસ પ્રાર્થના

ગણેશ ચતુર્થીના દિવસે અનિલ અંબાણીના પત્ની ટીનાએ પોતાના ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરી છે

I am Gujarat 22 Aug 2020, 7:25 pm
શનિવારથી વિઘ્નહર્તા ભગવાન ગણેશના તહેવારની શરૂઆત થઈ છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરતા હોય છે અને તેમના જીવનના વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના કરતા હોય છે. હાલમાં અનિલ અંબાણી આર્થિક રીતે ભીંસમાં આવી ગયા છે અને તેમના પત્ની ટીના અંબાણીએ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. આ સાથે તેમણે ગણપતિ પાસે પ્રાર્થના પણ કરી છે.
I am Gujarat tina ambani and anil ambani welcome bappa on ganesh chaturthi
અનિલ અંબાણીના ઘરે પધાર્યા વિઘ્નહર્તા ગણેશ, પત્ની ટીના અંબાણીએ કરી ખાસ પ્રાર્થના


ટીના અંબાણીના ઘરે પધાર્યા વિઘ્નહર્તા

અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીના ઘરે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. ટીના અંબાણીએ ટ્વિટર પર તસવીર અપલોડ કરી છે. તેમણે પ્રાર્થના કરી છે કે, તમે વિઘ્નહર્તા અને તમામ પ્રકારના વિઘ્નો અને બુરાઈઓનો નાશ કરનારા છો. હવે નવી શરૂઆતના દેવતા, અમને આ કપરા સમયમાં તમારા આશિર્વાદની જરૂર છે, અમને આ મુશ્કેલીઓમાંથી બહાર લાવો અને લોકોને સારું સ્વાસ્થ્ય આપો તથા વિશ્વને નિયંત્રિત કરો. જય ગણેશ.

સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે ટીના અંબાણી

ટીના અંબાણી એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યું હતું. તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે અને પોતાની અને પરિવારની તસવીરો અપલોડ કરતા રહે છે. આ ઉપરાંત તેઓ પોતાના પ્રિયજનોને સોશિયલ મીડિયા પર જન્મ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવતા રહે છે. વર્લ્ડ ફોટોગ્રાફી ડે પ્રસંગે ટીના અંબાણીએ પોતાના સાસુ-સસરા કોકિલા બેન અને ધીરૂભાઈ અંબાણી, પતિ અનિલ અંબાણી, પુત્રો જય અનમોલ અને જય અંશુલ તથા ભત્રીજી ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને અન્ય પરિવાર અને મિત્રોની તસવીરોથી બનેલો એક વિડીયો શેર કર્યો હતો.

આર્થિક ભીંસમાં છે અનિલ અંબાણી

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિ અંબાણી દેવાળીયા થઈ ગયા છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. 21 ઓગસ્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ બેન્ચે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (એડીએજી)ના ચેરમેન અનિલ અંબાણી સામે દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી છે. અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ) અને રિલાયન્સ ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (આરટીઆઈએલ) માટે પર્સનલ ગેરંટી પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી 1200 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો