એપશહેર

લોકડાઉનમાં શ્રમિક ટ્રેનો રસ્તા ભડકી ગઈ એવા મેસેજ તમને મળ્યા? જાણો શું છે હકીકત

Tejas Jinger | THE ECONOMIC TIMES 27 May 2020, 3:26 pm
નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને રોકવા માટે દેશમાં જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન અન્ય શહેરોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને પોતાના વતન પરત જવા માટે શરુ કરવામાં આવેલી શ્રમિક ટ્રેન દ્વારા તેમને પોતાના વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. મુખ્યત્વે આ ટ્રેનો બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે ચલાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ટ્રેન રસ્તો ભટકી ગયાની ખબર વાયરલ થઈ રહી છે.મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ટ્રેન રસ્તો ભટકીને ઓડિશાના રાઉકેલા પહોંચી ગઈ. આવી ખતરો અને રિપોર્ટ સામે આવી રહ્યા છે. આ સિવાય હૈદરાબાદના મુઝફ્ફરપુર જતી ટ્રેન દિલ્હી પહોંચી ગઈ તેવી માહિતી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલા મેસેજમાં 40 ટ્રેન રસ્તો ભટકી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: પરંતુ આ પાછળની હકીકત અલગ છે. આવો આપને જણાવીએ શ્રમિક ટ્રેન રસ્તો ભટકી ગઈ હોવાની વાઈરલ થઈ રહેલી માહિતી પાછળ શું સચ્ચાઈ છે. આ વિષયમાં રેલવે મંત્રાલયે શું કહ્યું છે?નોર્થ-સેન્ટ્રલ રેલવે ટ્રેક પર ભીડ હોવાના કારણે રૂટ ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો. વેસ્ટર્ન રેલવેના મુખ્ય PRO રવીન્દ્ર ભાકરે જાણકારી આપી હતી કે, આ ટ્રેનને કલ્યાણ-જલગાંવ-ભુસાવલ-ખંડવા-ઈટાસી-જબલપુર-માનિકપુરના રસ્તે ગોરખપુર પહોંચાડવાની હતી, પરંતુ આ રૂટ પર વધારે ટ્રેફિક હોવાના કારણે તેને બિલાસપુર, ઝારસુગુડા, રાઉકેલા, અદ્રા, આસનસોલના રસ્તે ચલાવવામાં આવી. તેમણે જણાવ્યું કે, જબલપુર, દીનદયાલ રૂટ પર ભારે ભીડ હોવાના કારણે રેલવે ડિપાર્ટમેન્ટે ટ્રેનને ડાઈવર્ટ કરીને ચલાવી છે.
ઈટારસી-ભુસાવલ રૂટ પર ભારે ભીડ હોવાના કારણે ઉત્તર મધ્ય રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે ઘણી શ્રમિક સ્પેશિયલ ટ્રેન 22 મેથી ઝાંસી-કાનપુર સેક્શનમાં આવી રહી છે, પણ સ્થિતિ હવે નિયંત્રણમાં છે. તેમણે જણાવ્યું કે આવું માત્ર સેક્શમાં ભીડના કારણે થયું હતું. સિંગલ લાઈન સેક્શનમાં 100% કરતા વધારે ટ્રેન આવી.એક શ્રમિક ટ્રેન 1399 મુસાફરોને લઈને 21મી મેએ મહારાષ્ટ્રના વસઈથી ઉત્તરપ્રદેશના ગોરખપુર જવા માટે નીકળી અને ઓડિશાના રાઉકેલા પહોંચી ગઈ. 30 કલાકના નિશ્ચિત સમય કરતા ટ્રેન મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ થઈને ગોરખપુર પહોંચી જેમાં 63 કલાક બાદ સવારે 10 વાગ્યે ટ્રેન ગોરખપુર પહોંચી.
આ રીતે ગુરુવારે ગોવાથી ઉત્તરપ્રદેશના બલિયા માટે ચાલેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન મહારાષ્ટ્રના નાગપુર પહોંચી ગઈ. ત્યાંથી 72 કલાકની યાત્રા પૂર્ણ કર્યા પછી તે રવિવારે બપોરે બે વાગ્યે બલિયા પહોંચી.એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન પાછલા ગુરુવારે બેંગ્લુરુથી લગભગ 1450 લોકોને લઈને ઉત્તરપ્રદેશના બસ્તી માટે ઉપડી હતી પણ ગાઝિયાબાદ પહોંચી ગઈ. તેમણે જણાવ્યું કે ટ્રેનના રૂટ વ્યસ્ત હોવાના કારણે ડાઈવર્ટ કરાઈ હતી.

Read Next Story