એપશહેર

TRP કૌભાંડઃ પ્રશાંત ભૂષણે અર્ણબ અને BARCના ભૂતપૂર્વ CEOની વોટ્સએપ ચેટ જાહેર કરી

રિપબ્લિક ટીવીના એક્ઝિક્યુટિવ એડિટર અર્ણબ ગોસ્વામી સામે ટીઆરપી કૌભાંડનો કેસ ચાલી રહ્યો છે

I am Gujarat 15 Jan 2021, 8:12 pm
નવી દિલ્હીઃ જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે શુક્રવારે રિપબ્લિક ટીવના એક્ઝિક્યુટિવ એડિટર અર્ણબ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી)ના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચેની લીક વોટ્સએપ ચેટ શેર કરી છે. અર્ણબ ગોસ્વામી સામે ટીઆરપી કૌભાંડનો કેસ ચાલી રહ્યો છે.
I am Gujarat arnab goswami


પ્રશાંત ભૂષણે ટ્વિટર પર વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને લખ્યું છે કે, આ બીએઆરસીના સીઈઓ અને અર્ણબ ગોસ્વામી વચ્ચેની લીક વોટ્સએપ ચેટ છે. તેમાં ઘણા કાવતરા અને આ સરકારમાં ઘણો પાવર દેખાડે છે. તેમના મીડિયા અને પાવર બ્રોકર તરીકે તેમની સ્થિતિનો ભારે દુરઉપયોગ કર્યો છે. તેમને લાંબા સમય માટે જેલ ભેગા કરવા જોઈએ.
આ ટીઆરપી કૌભાંડ ગત વર્ષે ઓક્ટોબરમાં સામે આવ્યું હતું જ્યારે બીએઆરસી દ્વારા હંસા રિસર્ચ ગ્રૂપ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રિપબ્લિક ટીવી સહિત કેટલીક ટીવી ચેનલો તેમના ટીઆરપી નંબર્સ વધારવા કૌભાંડ આચર્યું છે.

મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે પાર્થો દાસગુપ્તાએ પોતાના પદનો દુરઉપયોગ કર્યો હતો અને અર્ણબ ગોસ્વામી સહિત આરોપીઓ સાથે મળેલા હતા. તેમણે રિપબ્લિક ટીવીને નંબર વન બનાવવા માટે ટીઆરપી રેટિંગ્સ સાથે ચેડા કર્યા હતા. પોલીસે તે પણ આરોપ લગાવ્યો છે કે ગોસ્વામીએ 2017મા લોંચ થયેલી રિપબ્લિક ટીવીની ટીઆરપીને વધારવા માટે દાસગુપ્તાને મોટી રકમ ચૂકવી હતી.

બીએઆરસી ટીવી ચેનલ્સની વ્યુઅરશિપનું ધ્યાન રાખે છે. ટીઆરપી અથવા તો ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ દેખાડે છે કે દર્શકો કઈ ચેનલ કે કાર્યક્રમ સૌથી વધારે જોવે છે. વધારે ટીઆરપીનો મતલબ વધારે દર્શકો છે. જેના કારણે તે ચેનલ જાહેરખબરો આપનારાઓ માટે પ્રથમ પસંદગી બને છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચ રિપબ્લિક ટીવી, ફક્ત મરાઠી, બોક્સ સિનેમા, ન્યૂઝ નેશન, મહામૂવિસ અને વાઉ મ્યૂઝિક ચેનલ સામે તપાસ કરી રહી છે.

Read Next Story