એપશહેર

સરકારી દવાખાનામાં એનેસ્થેસિયા વગર કરી નાખી સર્જરી, મહિલાઓની આપવિતી સાંભળીને કંપારી છૂટી જશે

બિહારના બે સ્વાસ્થ્ય કેન્દ્રોમાં મહિલાઓની સર્જરી એનેસ્થેસિયા વગર કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. એક NGOના અભિયાનના ભાગ રુપે 50થી વધારે મહિલાઓ ટ્યુબેક્ટોમી કરાવવા માટે તૈયાર થઈ હતી. તેમાંથી 24 મહિલાઓની ફરિયાદ છે કે તેમને બેભાન કર્યા વિના જ આખી સર્જરી કરવામાં આવી હતી.

Edited byZakiya Vaniya | TNN 17 Nov 2022, 12:27 pm
પટણા- બિહારથી એક ચોંકાવનારો અહેવાલ સામે આવી રહ્યો છે. અહીં ખાગરિયામાં રાજ્ય સંચાલિત બે સ્વાસ્થ્ય કેન્દ્રોમાં 24 મહિલાઓની ટ્યુબેક્ટોમીની સર્જરી એનેસ્થેસિયા વગર કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મહિલાઓનો આરોપ છે કે, ગર્ભધારણ રોકવા માટે કરવામાં આવતી આ સર્જરી તેમને બેભાન કર્યા વગર જ કરવામાં આવી હતી. તેમને ઓપરેશન ટેબલ પર સુવડાવી દેવામાં આવી હતી. તેઓ પીડાથી કણસી રહી હતી. તમને જણાવી દઈએ કે, સામાન્યપણે ટ્યુબેક્ટોમી માટે લોકલ એનેસ્થેસિયાનો ઉપયોગ કરવામાં આવે છે.
I am Gujarat woman
પ્રતિકાત્મક તસવીર


ખાગરિયાના ડીએમ આલોક રંજન ઘોષ જણાવે છે કે તેમણે આ બાબતે તપાસનો આદેશ આપ્યો છે. જે મહિલાઓએ આ પીડા વેઠી છે તેમના નિવેદન નોંધી લેવામાં આવ્યા છે. અલૌલી હેલ્થ સેન્ટરમાં સર્જરી કરાવનાર મહિલા કુમાર પ્રતિમા જણાવે છે કે, હું ચીસો પાડી રહી હતી, દુખાવો અસહ્ય હતો. ચાર લોકોએ મારા હાથ અને પગ પકડી રાખ્યા અને ડોક્ટરે સર્જરી કરી. સર્જરી પછી કંઈક એવુ થયું કે હું જાણે જડ થઈ ગઈ હતી. અન્ય એક મહિલાએ પણ જણાવ્યું કે, સર્જરી દરમિયાન હું ભાનમાં હતી. જ્યારે મારા શરીર પર બ્લેડ મૂકવામાં આવી ત્યારે મને અતિશય દુખાવો થયો હતો.

ડોક્ટરે ગરીબ મહિલાની બન્ને કિડની કાઢી લીધી, હવે 3 બાળકની માતા સરકાર પાસે માગી રહી છે ન્યાય
ઉલ્લેખનીય છે કે સરકારના સમર્થન સાથે એક NGO દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યુ હતું, જેના ભાગ રુપે 53 મહિલાઓ આ સર્જરી કરાવવા તૈયાર થઈ હતી.આ સર્જરીમાં ગર્ભાશયની ટ્યુબ એટલે કે Fallopian tubesને ક્લિપ કરવામાં આવે છે. 53માંથી લગભગ 24 મહિલાઓએ આ ફરિયાદ કરી છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ડીએમ ઘોષે જણાવ્યું કે, મેં એક સિવિલ સર્જનને આ બાબતની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તે વહેલી તકે રિપોર્ટ સબમિટ કરશે.

હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દી માંગી રહ્યા છે ઓપરેશન કરનાર ડોક્ટરની કિડની, શું છે મામલો?
અલૌલી હેલ્થ સેન્ટરના ઈન-ચાર્જ ડોક્ટર મનિષ કુમારે જણાવ્યું કે, ફરિયાદ સામે આવ્યા પછી અમે ગ્લોબલ ડેવલપમેન્ટ ઈનિશિએટીવ NGO પર અત્યારે પ્રતિબંધ મૂક્યો છે. પરબત્તા હેલ્થ સેન્ટરના ઈન-ચાર્જ ડોક્ટર રાજીવ રંજને દાવો કર્યો કે, એનેસ્થેસિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ શક્ય છે કે અમુક મહિલાઓ પર તે અસર નહીં કર્યું હોય. પ્રત્યેક માણસના શરીરની રચના અલગ હોય છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કથિત રીતે પ્રત્યેક સર્જરી માટે NGOને 2100 રુપિયા આપ્યા હતા.

Read Next Story