એપશહેર

J&K: PAKના ફાયરિંગમાં 2 જવાનો શહીદ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Yogesh Gajjar | I am Gujarat 20 Oct 2019, 11:02 am
શ્રીનગરઃ કરતારપુર કોરિડોર દ્વારા ઉદારતાનો ઢોંગ કરનારા પાકિસ્તાનનો અસલી ચહેરો ફરી એકવાર સામે આવી ગયો છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં અચાનક ફાયરિંગ શરૂ કર્યું છે. આ સીઝફાયર ઉલ્લંઘનમાં બે જવાનો શહીદ થઈ ગયા. સાથે જ એક નાગરિકનું પણ મોત થઈ ગયું. ભારતીય સેના પાકિસ્તાન તરફથી થઈ રહેલી આ ગોળીબારીનો જવાબ આપી રહી છે. સેનાએ જણાવ્યું કે પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો અને જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન વેઠવું પડ્યું અને તેના ઘણા સૈનિકો માર્યા ગયા. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ઘુસણખોર મોકલવાનો હતો પ્રયાસ અત્યાર સુધી જાણકારી મુજબ, પાકિસ્તાની સેના ઘાટીમાં કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં રવિવારે સવારે સરહદ પારથી ઘુસણખોરો મોકલવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘુસણખોરોને કવર આપવા માટે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરાયું. પાકિસ્તાનની આ કાયરતાપૂર્ણ હરકતમાં સુરક્ષાદળના બે સૈનિકો શહીદ થઈ ગયા, જ્યારે એક નાગરિકનું પણ મોત થઈ ગયું. આ ઉપરાંત ત્રણ અન્ય નાગરિકો ઘાયલ થયા છે. અનંતનાગમાં માર્યા હતા 3 આતંકી પાછલા બુધવારે અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા. તેમાં સૌથી ખૂંખાર આતંકીની ઓળખ નસીર ગુલજાર છદ્રૂ ઉર્ફે અબુ હન્નાન તરીકે કરાઈ. તે અનંતનાગ જિલ્લાના બિજબેહરાનો રહેવાસી હતી. તે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં લશ્કર-એ-તૈયબામાં શામેલ થયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો